Pages

Monday, May 28, 2012

સુવાક્યો-વાંચો અને વિચારો-અકબર અલી નરસી


1. આવતી તકલીફો ભારે વરસાદ સમ હોય છે. વરસાદ ઘટાડવાનું માંગવાને બદલે સારી છત્રી મેળવવાની પ્રાર્થના કરો.

2. જ્યારે ભરતી આવેછે ત્યારે માછલી કીડીઓને ખાય છે  અને ઓટ આવે ત્યારે કીડીઓ માછલી ને જમે છે. સમય જ બળવાન હોય છે થોડી ધીરજ ધરો..પ્રભુ સૌને સરખી જ તક આપે છે.

3. યોગ્ય માણસ ને શોધવાનું નામ જિંદગી નથી પરંતુ યોગ્ય સબંધ  જિંદગીમાં વિકસાવવો જરૂરી છે. શરુઆતથી આપ્ણે કેવો જાળવ્યો સબંધ તેના કરતા અંત સુધી કેવો જાળવ્યો તે સબંધ તે અગત્યનું છે.

4. કેટલાક લોકોને તમારા રસ્તે પથ્થરો ફેંકવામાં જ રસ હોય છેી તમારા પર છે કે તમે દિવાલો બાંધો છો કે પુલ કારણ કે તમારી જિંદગીનાં સર્જક ( આર્કીટેક) તમે જ છો.

5. દરેક પ્રશ્નનાં( n+1 ) ઉત્તરો હોઇ શકે છે. જેમાં n તમારા પ્રયત્નો હોય અને 1 તમે જે પ્રયત્ન હજી ન કર્યો હોય..જિંદગી આનું જ નામ છે ( મથ્યા કરો)

6. સારા પત્તા હાથમાં પકડી રાખવા કરતા તે ક્યારે ઉતરવા અને ક્યારે પકડી રાખવાની સ મજથી જ સફળ થવાય છે

7. જ્યારે જિંદગીમાં બધુજ હારી જઇએ ત્યારે પ્રભુ સસ્મિત કહે છે આતો સહેજ વણાંક છે અંત નથી. થોડીક ધીરજ ધર વિશ્વાસ રાખ તારી સફળ જિંદગી તારી રાહ જુએ છે.

8. ઉદાસી જ્યારે ઘેરી વળી હોય ત્યારે દર્પણમાં ચહેરો જોતા કહો “ હું હજી રૂપાળો છું” અને તેથી ઉદાસી જતી રહેશે. પણ આની ટેવ ના પડશો..કારણ ખબર છે ને? જુઠા લોકો નર્કમાં જાય છે

9. માણસ અને પ્રભુ વચ્ચે એક તફાવત છે.. પ્રભુ પિતા આપ્યા જ કરે અને પાછુ લેવાનું ભુલી જાય જ્યારે માણસ લીધાજ કરે અને પાછુ આપવાનું ભુલી જાય

10. બે જ પ્રકારનાં માણસો આ દુનિયામાં સુખી હોય છે ગાંડા અને બાળક. બેહદ ગાંડપણ કરીને જે ઇચ્છો તે પામો અને બાળક બનીને જે પામ્યા તેને માણો

-અકબર અલી નરસીની ઇ-મૈલ

No comments:

Post a Comment