Pages

Thursday, May 31, 2012

સમાજ ઉત્કર્ષનો અંક નંબર ૫૭૧ એપ્રિલ ૨૦૧૨


 






ખાસ નોંધ :
૧) પાના નં ૫ ઉપર બે સરક્યુલર જુદી જુદી માહિતી રજુ કરે છે. એકમાં એમ જણાવાયેલ છે કે નોટબુક વિતરણ ૪ જગ્યાઓ પર થવાનું છે. બીજો સરક્યુલર એવી માહિતી આપે છે કે વિતરણ ૫ જગ્યાઓ પરથી થવાનુ છે.
૨) નોટબુક વિતરણની તારીખો પાના નં ૨૨ ઉપર ખોટી લખવામાં આવી છે.
૩) સમાજ ઉત્કર્ષના આવતા અંક સુધી ચોખવટની રાહ જોવી પડશે.


નોંધ : ઇન્ટરનેટની સ્પીડ ઓછી હશે તો ફાઇલ લોડ થતા થોડી વાર લાગશે. થોડી રા4 જોજો ત્યારબાદ સમાજ ઉત્કર્ષ બરાબર વાંચી શકાશે.

વર્ષગાંઠ (31-05)


1 ) દોશી સિધ્ધાર્થ શૈલેશ ઈન્દુલાલ મણીલાલ
2 ) દોશી પરેશ પ્રીતમલાલ
3 ) મેહતા હીર ગૌરવ દીપક નરોત્તમદાસ
4 ) મેહતા ભાવિન અશોક શાંતિલાલ
5 ) વોરા કૌશલ જગદીશ હેમતલાલ

Wednesday, May 30, 2012

છૂટાછેડા – કાયદેસર,પણ અનિચ્છનીય


          સર્જનહારે પોતાની ઇચ્છાનુસાર નિશ્ચિત કુટુંબમાં આપણો ફરજિયાત જન્મ આપીને તદનુસાર આપણને સગાંસંબંધીની એવી નવાજિશ કરી છે કે જેઓ આપણને કદાચ ગમે કે ન પણ ગમે ! પણ, આપણે તેનો એ બાબતમાં જરૂર આભાર માનવો જોઈએ કે તેણે મિત્રોની પસંદગી માટેની તક આપણા હવાલે કરી છે. પત્ની એ પણ મિત્ર સમાન જ છે અને જે કહો તે – તેની વરણી, પસંદગી, ગમાડવી કે ચાહવી – સઘળું આપણા ઉપર છોડ્યું છે. આ સ્વતંત્રતા પ્રેમલગ્ન કે ગોઠવણી વડે કરવામાં આવતાં લગ્ન એમ બંને પ્રકાર માટે લાગુ પડે છે. લગ્ન કે મિત્રાચારીની પસંદગીમાં આપણા ઉપર કોઈ પણ જાતની ફરજ લાદવામાં આવી નથી, કારણ કે પત્ની અને મિત્ર આપણા જન્મ પછી જ આપણા જીવનમાં પ્રવેશનાર વ્યક્તિઓ છે. બીજાં તમામ પ્રકારનાં સગાંસંબંધી જન્મગત હોઈ તેઓ જેવાં હોય કે હોઈ શકે, આપણે સ્વીકારી લીધા સિવાય કોઈ જ છૂટકો નથી પત્ની એ આપણી જીવનસંગિની અને અર્ધાંગિની હોઈ અંગ્રેજી ભાષામાં પણ Wife ઉપરાંત બીજો Better-half શબ્દ છે.
 
          આમ,શાણો માણસ હમેશાં પત્નીની પસંદગીની બાબતમાં સભાન રહેતો હોય છે અને તેની પહેલી પસંદગી પહેલી અને આખરી રહેતી હોય છે. કોઈ પણ વ્યક્તિ માટે બધો જ સમય એ શક્ય નથી હોતું કે તે તેણીનાં ગુણ કે ચારિત્ર્યનાં બધાં જ પાસાંને દુકાનદારને ત્યાંથી ખરીદવામાં આવતી વસ્તુની જેમ અવલોકી શકે. નજીવી ખૂટતી બાબતોને પછીથી ઓપ આપી શકાય કે પછી સમાધાન પણ કરી શકાય.

          લગ્ન પછી, નેકટાઈ કે બૂટની જેમ, પત્નીને બદલી નાખવાનું કામ તો એ જ માણસ કરી શકે કે જે સ્ત્રીના મરતબાનું મૂલ્ય આંકી નથી શકતો. માતા, બહેન, પત્ની અને પુત્રી જે તે પ્રકારના સંબંધોથી જોડાયા પ્રમાણે સ્ત્રીનાં જ ચાર સ્વરૂપ છે. સામાન્ય રીતે એવું જોવામાં આવતું હોય છે કે  જ્યારે હમેશાં પત્નીની જ ટીકાટિપ્પણી કરવામાં આવતી હોય છે,   ત્યારે   બાકીનાં તમામને જેવાં હોય તેવાં નિભાવી કે સ્વીકારી લેવામાં આવતાં હોય છે. પત્નીને કુટુંબમાં આયાતી જણસ તરીકે ગણવામાં આવતી હોય છે અને બાકીનાંઓનો પક્ષ લેવામાં આવતો હોય છે અને તેમને પોતીકાં ગણવામાં આવતાં હોય છે. આવી માનસિકતા એ પત્ની પરત્વેનું પક્ષપાતી વલણ કહેવાય અને આવા જ સંજોગોમાં લગ્નજીવન નિષ્ફળતામાં પરિણમતું હોય છે અને છેવટે છૂટાછેડા જેવી દુઃખદ પરિસ્થિતી ઉત્પન્ન થતી હોય છે. કેટલાક સંવેદનશીલ અને ન્યાયી સંજોગોમાં રાજ્ય અને ધર્મના કાયદાઓમાં છૂટાછેડાની જોગવાઈ હોય છે ખરી,પણ અલ્લાહ (ઈશ્વર) તેને પસંદ નથી કરતો. અન્યાયી રીતે આપવા કે લેવામાં આવતા છૂટાછેડા એ ધાર્મિક અને સામાજિક રીતે ગુનો છે અને છૂટાછેડા પ્રાપ્ત કરનાર પાત્રને માટે આજીવન ત્રાસરૂપ નીવડે છે.

          લગ્ન એ પ્રાણી વડે ચાલતા ગાડા કે વાહન જેવું છે. પતિ અને પત્ની ઉભય તેને હાંકવા માટે જોતરાય છે. તેઓ જો પરસ્પર સમજદારી, સહકાર અને એકસૂત્રતાથી જોડાય તો જિંદગીની સફર સફળતાપૂર્વક પાર પડી  શકે. પણ આપણે જગત આખાયમાં અને જુદાજુદા સમુદાયોમાં જોઈ શકીએ છીએ કે મોટા ભાગે અને હમેશાં લગ્નજીવન આદર્શ જોવા મળતાં નથી.      

          આ બાબત માટે આપણે એક સરસ મજાનું અવતરણ જોઈએ કે જે આપણને લગ્નજીવનની ફલશ્રુતિ સમજાવશે, જે આ પ્રમાણે છે:” થોડાક જ કિસ્સાઓમાં લગ્ન ઈનામ કે પુરસ્કારરૂપ હોય છે,  કેટલાકમાં લગ્નજીવન આશ્ચર્યજનક રીતે પસાર થઈ જતું જોવા મળે છે; પરંતુ ઘણા બધામાં તો લગ્નજીવન નિરાશાજનક અને સજારૂપ હોય છે.” અહીં ‘થોડાક’, ‘કેટલાક’ અને ‘ઘણાબધા’ શબ્દો ધ્યાનમાં લેવા જેવા છે. હવે એ બાબત આપણા ઉપર આધારિત છે કે આપણે કયા વર્ગ કે સમુદાયમાં આપણું સ્થાન ગોઠવવા માગીએ છીએ.

          હજુ, મારા બ્લોગનો વિષય કેટલાક પ્રશ્નો સાથે ચાલુ રહે છે, જેના જવાબોની હું કોઈ અપેક્ષા રાખતો નથી;  હા,  તેના ઉપર મારા વાચકો ગંભીરતાપૂર્વક જરૂર વિચારણા કરે ! મારા પ્રશ્નો આ પ્રમાણે છે: શું આ બધી જવાબદારીઓ સ્ત્રીઓને પણ લાગુ ન પડે, જ્યારે કે કેટલાક પશ્ચિમના કે પશ્ચિમ જેવી વિચારસરણી ધરાવતા લોકો  સ્ત્રી-પુરુષના સમાન અધિકારોમાં માને છે ? એવા બિચારા પુરુષોનું શું કે જેઓ સ્ત્રીઓ દ્વારા ઉગામાયેલ છૂટાછેડાના હથિયારનો ભોગ બનીને દુખમય કૌટુંબિક જીવન વ્યતીત કરતા હોય ? એ સ્વમાન અને મરતબાનું શું કે પોતે પતિ હોય કે પત્ની,પણ છૂટાછેડા પછી કાયદા વડે પ્રાપ્ય ભરણપોષણ મેળવતાં હોય ? નિર્દોષ અસરગ્રસ્ત બાળકોનું શું ? તેમના ભવિષ્ય કે તેમના માનસિક સંતાપોનું શું ?     

          શાંતિમય સમાજની સ્થાપના માટે કુટુંબો શાંતિમય હોવાં જોઈશે. ગૃહ અદાલતો ઘટાડવા માટે ગૃહ માર્ગદર્શન કેન્દ્રો વધારવાં પડશે. દુનિયાના ઘણા દેશોના સમજદાર લોકો વર્તમાન પરિસ્થિતિમાં ફેરફાર ઇચ્છે છે કારણ કે દિનપ્રતિદિન પરિસ્થિતિ કથળતી જાય છે. પણ બિલાડીની કોટે ઘંટડી કોણ બાંધે ?

          આગળ વધુ કોઈક અજ્ઞાત લેખકનું ગુજરાતી અખબારમાં આવેલું અવતરણ વાંચો કે જે વ્યક્તિગત રીતે દરેકને પરોક્ષ માર્ગદર્શન પૂરું પાડશે કે કેવી રીતે શાપિત શબ્દ “છૂટાછેડા” ઉપર વિજયી થઈ શકાય. તેના શબ્દો આ પ્રમાણે છે:” જ્યારે હું વીસ વર્ષનો હતો, ત્યારે ખૂબ જ ઉત્સાહપૂર્વક કહેતો કે હું આખી દુનિયાને બદલી નાખીશ.પરંતુ, ધીમે ધીમે તે મને મુશ્કેલ લાગવા માંડ્યું.પછી હું ત્રીશ વર્ષની ઉંમરે પહોંચ્યો અને મારા લક્ષાંકને બદલીને દુનિયામાંથી મારા દેશ અને આસપાસના સમાજ પૂરતો સીમિત કરી નાખ્યો. પણ અફસોસ ! હું નિષ્ફળ પુરવાર થયો. આજે હું મરણ પથારીએ છું અને મને પહેલી જ વાર એ સનાતન સત્યની પ્રતીતિ થાય છે કે હકીકતમાં પહેલાં મારે મારી જાતને જ પહેલેથી બદલવી જોઈતી હતી અને તો જ હું મારી ઈચ્છા મુજબ આખી દુનિયાને બદલી શક્યો હોત !”

          અહીં મારી બ્લોગ પોસ્ટના સમાપન પહેલાં,  હું મને પોતાને ‘પ્રેમલગ્ન’  વિષેના એક વધુ અને આખરી કથનને રજૂ કરતાં નથી રોકી શકતો. તે આ મુજબ છે:” પ્રેમલગ્ન આકર્ષણથી શરૂ થાય છે, (કદાચ) મોટા ભાગે નિરાશામાંથી પસાર થાય છે અને છેવટે જુદાઈમાં અંત પામે છે.”

          મારા ભલા વાચકો, આપનું દાંપત્યજીવન અર્થસભર, ફળદાયી અને પરોપકારમય નીવડે તેવી શુભ કામના સાથે આટલેથી વિરમું છું
સલામસહ,                      
વલીભાઈ મુસા                 
        
ટીપ: લગ્ન પહેલાં થેલેસેમીઆ, હેપીટાઈટીસ બી, એચઆઇવી  વગેરે જેવા જરૂરી ટેસ્ટ કરાવી લેવા હિતાવહ છે કે જેથી પરિણીત યુગલ કે ભાવી સંતતિની તંદુરસ્તીને કોઈ હાનિ ન પહોંચે. પાણી પહેલાં પાળ બંધાય તો સારું. 

વર્ષગાંઠ (30-05)


1 ) લોદરિયા રક્ષા રાજેશ કસલચંદ
2 ) મેહતા દીપલ રાજેશ પ્રવીણચંદ્ર
3 ) શાહ ભાવિન અનીલ પૂનમચંદ
4 ) શાહ નીસર્ગ સુનિલ જેવતલાલ સુખલાલ
5 ) શેઠ ફોરમ દીપક જીવનલાલ

Tuesday, May 29, 2012

વર્ષગાંઠ (29-05)


1 ) દોશી યશ આશિક઼ દિનેશચંદ્ર ભાઈચંદ
2 ) લોદરિયા હિતેષ રવિચંદ
3 ) મેહતા કેવિન કલ્પેશ શશીકાન્ત વનેચંદ
4 ) મેહતા નેહા કલ્પેશ જ્યોતિચંદ્ર
5 ) મેહતા હેમાન્શુ વ્રજલાલ
6 ) મેહતા મયૂરી ઊર્જિત જિતેન્દ્ર
7 ) પારેખ હેની વિરલ ગુણવંતરાય વ્રજલાલ
8 ) પારેખ મીહીત હિતેન્દ્ર ચંદુલાલ
9 ) પારેખ પ્રણવ શૈલેન્દ્ર ચંદુલાલ
10) પટેલ દિવ્યેશ અનંતરાય
11) શાહ જિતેન્દ્ર રસિકલાલ
12) શેઠ અજીત ચંદ્રકાન્ત
13) વોરા નિશા પરેશ ગુણવંતરાય હેમતલાલ
14) વોરા નિખિલ જિતેન્દ્ર વલમજી
15) મેહતા પરાગ કીર્તિકુમાર અવિચળ

Monday, May 28, 2012

સુવાક્યો-વાંચો અને વિચારો-અકબર અલી નરસી


1. આવતી તકલીફો ભારે વરસાદ સમ હોય છે. વરસાદ ઘટાડવાનું માંગવાને બદલે સારી છત્રી મેળવવાની પ્રાર્થના કરો.

2. જ્યારે ભરતી આવેછે ત્યારે માછલી કીડીઓને ખાય છે  અને ઓટ આવે ત્યારે કીડીઓ માછલી ને જમે છે. સમય જ બળવાન હોય છે થોડી ધીરજ ધરો..પ્રભુ સૌને સરખી જ તક આપે છે.

3. યોગ્ય માણસ ને શોધવાનું નામ જિંદગી નથી પરંતુ યોગ્ય સબંધ  જિંદગીમાં વિકસાવવો જરૂરી છે. શરુઆતથી આપ્ણે કેવો જાળવ્યો સબંધ તેના કરતા અંત સુધી કેવો જાળવ્યો તે સબંધ તે અગત્યનું છે.

4. કેટલાક લોકોને તમારા રસ્તે પથ્થરો ફેંકવામાં જ રસ હોય છેી તમારા પર છે કે તમે દિવાલો બાંધો છો કે પુલ કારણ કે તમારી જિંદગીનાં સર્જક ( આર્કીટેક) તમે જ છો.

5. દરેક પ્રશ્નનાં( n+1 ) ઉત્તરો હોઇ શકે છે. જેમાં n તમારા પ્રયત્નો હોય અને 1 તમે જે પ્રયત્ન હજી ન કર્યો હોય..જિંદગી આનું જ નામ છે ( મથ્યા કરો)

6. સારા પત્તા હાથમાં પકડી રાખવા કરતા તે ક્યારે ઉતરવા અને ક્યારે પકડી રાખવાની સ મજથી જ સફળ થવાય છે

7. જ્યારે જિંદગીમાં બધુજ હારી જઇએ ત્યારે પ્રભુ સસ્મિત કહે છે આતો સહેજ વણાંક છે અંત નથી. થોડીક ધીરજ ધર વિશ્વાસ રાખ તારી સફળ જિંદગી તારી રાહ જુએ છે.

8. ઉદાસી જ્યારે ઘેરી વળી હોય ત્યારે દર્પણમાં ચહેરો જોતા કહો “ હું હજી રૂપાળો છું” અને તેથી ઉદાસી જતી રહેશે. પણ આની ટેવ ના પડશો..કારણ ખબર છે ને? જુઠા લોકો નર્કમાં જાય છે

9. માણસ અને પ્રભુ વચ્ચે એક તફાવત છે.. પ્રભુ પિતા આપ્યા જ કરે અને પાછુ લેવાનું ભુલી જાય જ્યારે માણસ લીધાજ કરે અને પાછુ આપવાનું ભુલી જાય

10. બે જ પ્રકારનાં માણસો આ દુનિયામાં સુખી હોય છે ગાંડા અને બાળક. બેહદ ગાંડપણ કરીને જે ઇચ્છો તે પામો અને બાળક બનીને જે પામ્યા તેને માણો

-અકબર અલી નરસીની ઇ-મૈલ

જીવનમાં યાદ રાખવા જેવું

(1) ભેગા થવું એ શરૂઆત છે, ભેગા રહેવું તે પ્રગતિ છે, પરંતુ ભેગા મળી કામ કરવું તે સફળતા છે.
(2) ‘ખાઈ’માં પડેલો બચી શકે, પણ ‘અદેખાઈ’માં પડેલો ન બચી શકે !
(3) મેળવજો નીતિથી, વાપરજો પ્રીતિથી, ભોગવજો રીતિથી, તો બચી જશો દુર્ગતિથી.
(4) જીભ કદાચ ‘તોતડી ‘ હશે તો ચાલશે, પરંતુ ‘તોછડી’ હશે તો નહિ ચાલે.
(5) ‘પ્રાણ’એ પ્રથમ ભેટ,’ સ્નેહ’ એ બીજી અને ‘સમજણ’ એ ત્રીજી.
(6) વસ્તુની નજીક જઈએ એટલે એનું સૌંદર્ય પ્રગટ થાય છે, પણ એનું કાવ્ય તો દૂરથીજ ખીલે છે
(7) માણસ ફુલાવાનું જલ્દી સ્વીકારે છે, યોગ્ય રીતે પણ સંકોચાવાનું નહીં !
(8) સૌને મન ભરીને માણવું છે, જીવવું છે- પણ મન ક્યારેય ભરાતું નથી, પેટની જેમ !
(9) મનની વિચાર દષ્ટિને પણ મોતિયો આવે છે ખરો !
(10) જીવનનો પહેલો સંઘર્ષ મન સાથે કરવો પડે છે. કારણ કે એને નકારાત્મક વલણનો સહેલો રસ્તો જ પસંદ છે.
(11) માણસને મોતથી વધુ એનાં ‘ડર’ ની બીક લાગે છે !
(12) આદત ધીમેધીમે જરૂરિયાત બની જાય ત્યારે માનવીની મજ્બૂરી જીવનને મૂરઝાવીદે છે.
(13) માણસનો વ્યવહાર અને વૃત્તિઓ એનું દર્પણ છે
(14) ‘આત્મપ્રશંસા ‘જેવું કોઈ ઝેર નથી, ‘આત્મનિંદા ‘જેવું કોઈ અમૃત નથી !
(15) ‘નથી’ તેની ચિંતા છોડશો તો ‘છે’ તેનો આનંદ માણી શકશો.
(16) પુરુષના જીવનમાં અહંકાર અને સ્ત્રીના જીવનમાં અલંકાર તોફાનો સર્જે છે.
(17) જે આળસુ છે તેને માટે જ ભગવાને આવતીકાલ સર્જી છે !
(18) માણસ હોંશિયાર છે કે નહીં તે એણે આપેલા જવાબ પરથી આપણે કહી શકીએ. એ શાણો છે કે કેમ તે એના સવાલો પરથી !
(20)જગતમાં માત્ર બે જ વ્યક્તિ મૂર્ખ છે. એક નિંદા કરનારી અને બીજી, રસપૂર્વક નિંદાસાંભળનારી !!
E mail Courtsey- Jogendra Patel

વર્ષગાંઠ (28-05)


1 ) દોશી ઈલા પ્રદિપ ચિમનલાલ
2 ) મેહતા બીના ચમનલાલ
3 ) મેહતા વૈશાલી દીપક નરોત્તમદાસ
4 ) સંઘવી કલ્પીતા ચેતન લલિત પ્રાણજીવન
5 ) સંઘવી ભાવેશ જયંતિલાલ

Sunday, May 27, 2012

મૃત્યુ



વાંકાનેર હાલ ભાયંદર કપૂરચંદ વાલજી મહેતાના પુત્ર રમણીકલાલ (ઉં. વ. ૮૮) તે મહેશભાઈ, નલીનભાઈ, પ્રદિપભાઈ, સ્વ. હિતેશભાઈ, વર્ષાબેન સંઘવીના પિતાશ્રી. સ્વ. ગીતાબેન, મીનાબેન, અલકાબેનના સસરા, તે રોહિતભાઈ, રાજેશભાઈ, સ્વ. પંકજભાઈ, કમલેશભાઈ, જીતેશભાઈ, હરેશભાઈ, રંજનબેન, ભારતીબેન, હર્ષાબેનના કાકા, તે સ્વ. પ્રભાબેન, સ્વ. દયાબેન, સુશીલાબેન, સ્વ. કંચનબેનના ભાઈ શુક્રવાર, ૨૫-૫-૧૨ના અરિહંતશરણ થયેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા રવિવાર, ૨૭-૫-૧૨ના ૩થી ૫. ભાયંદર વર્ધમાન સ્થા. જૈન શ્રાવક સંઘ, મહાવીર એપાર્ટમેન્ટ. બી-વિંગ, બીજે માળે, ભાજી ગલ્લી, ભાયંદર (વે.)

મૃત્યું



વાંકાનેર હાલ કાંદીવલી કાંતીલાલ દુર્લભજી મહેતા (ઉં. વ. ૮૧) બુધવાર ૨૩-૫-૧૨ના અરિહંતશરણ થયેલ છે. તે ઇન્દુબેનના પતિ. રાજેશ, દીગંત, નિકીતા મહેશ શાહ, હેતલ મનીષ વારીયાના પિતા. જયોત્સના, જયશ્રીના સસરા. શ્વસુર પક્ષે વાંકાનેર નિવાસી મણીલાલ લક્ષ્મીચંદ શેઠના જમાઇ. બંને પક્ષની પ્રાર્થનાસભા રવિવાર ૨૭-૫-૧૨ના ૧૦ થી ૧૧.૪૫ સ્થળ ઠઠ્ઠાઇ ભાટીયા હોલ મું. ૨, શંકર લેન, એસ. વી. રોડના કોર્નર, કાંદીવલી (વે.). નિવાસઃ ૬૦૨, અનામીકા બિલ્ડીંગ, મહાવીર નગર, દહાણુકર વાડી, કાંદીવલી (વે.).

વર્ષગાંઠ (27-05)


1 ) દોશી અભય જયેશ ચિમનલાલ
2 ) લોદરિયા ભાવિક રસિકલાલ
3 ) મેહતા શિવાની કલ્પેશ જ્યોતિચંદ્ર
4 ) મેહતા અનંતરાય દુર્લભજી
5 ) સંઘવી છબીલદાસ પ્રાણજીવન
6 ) શાહ મહેશ મનહરલાલ
7 ) શેઠ સુધા મૂકેશ જેવતલાલ
8 ) વોરા હેમાદ્રિ પ્રીતેશ પ્રફુલચંદ્ર

Saturday, May 26, 2012

અંધશ્રદ્ધાનું અંધારું પેઢી દર પેઢી વીસ્તરતું જાય છે

 

ઘણીવાર વીચાર આવે છે, એ કયું પરીબળ હશે જે માણસને હોમ-હવન, પુજા-પાઠ, વ્રત-ઉપવાસ જેવાં કર્મકાંડો તરફ દોરી જાય છે ? અશીક્ષીતોનું તો સમજ્યા પણ ડોક્ટરો, વકીલો, પ્રૉફેસરો, એંજીનીયરો, સાહીત્યકારો અરે ! કેટલાક વીજ્ઞાનીઓ સુધ્ધાં કર્મકાંડો કે ગુરુ-બાબાઓમાં અતુટ શ્રદ્ધા રાખે છે. એનો ખેદ વ્યક્ત કરીએ તો લોકો લખનારા પર ‘નાસ્તીક કે પાપી’ જેવાં વીશેષણો ઠોકી દે છે !

 

આ લખનારે ઘરમાં આજપર્યંત સત્યનારાયણની કથા, પુજા કે યજ્ઞો કરાવ્યાં નથી. ઉપવાસો કર્યાં નથી. રામકથા સાંભળી નથી. કાશી-મથુરા કે હરદ્વાર ગયો નથી. છતાં એકંદરે સુખી છું. બીજી તરફ જેઓ એ બધામાં રચ્યાપચ્યાં રહે છે, છતાં તરેહ તરેહનાં દુ:ખોમાં રીબાતાં જોવા મળે છે. એવી સેંકડો ઘટનાઓનો ઝીણવટથી અભ્યાસ કર્યા પછી એવું સમજાય છે કે સુખ-શાંતીનાં મુળીયાં તો ક્યાંક બીજે છે – કર્મકાંડોમાં નથી. પણ જેમને એ માર્ગે પરમ શાંતી મળે છે, તેમનો મેં કદી વીરોધ કર્યો નથી. શક્ય છે ક્યાંક મારું તારણ ખોટું હોય… આપણી જાણ બહારનું કોઈ અકળ કારણ ભાગ ભજવતું હોય. સ્વ. કવી શ્રી રમેશ પારેખની પંક્તીમાં કહું તો- એમ ના કહેવાય કે વરસાદ ના પડ્યો….. કહો કે આપણે ના પલળ્યાં…..!’

 

ખગોળશાસ્ત્રીઓ બ્રહ્માંડમાં નવા તારા, નક્ષત્રો કે ગ્રહો શોધે છે. સ્વર્ગ-નર્કના ઈલાકા તેમના દુરબીનમાં ક્યાંય દેખાયાં નથી. ધર્મગુરુઓએ પઢાવેલા મોક્ષના પાઠ માણસને એવા કંઠસ્થ થઈ ગયા કે ગાય હતી જ નહીં અને માણસ જીવનભર ખાલી ખુંટાને ઘાસ નીરતો રહ્યો ! એક હાથમાં તપેલી અને બીજા હાથમાં ઘાસ….. દુધનું ટીપુંય મળતું નથી પણ કર્મકાંડો વગર માણસને ચાલતું નથી.

 

માણસને પણ ધર્મગુરુઓએ કેટલાક ખોટા જવાબો ગળથુથીમાં ઘુંટાવ્યા છે. દીકરો સમજણો થયા પછી સત્ય સમજી શકે; પણ માણસ ડૉક્ટર, વકીલ કે એન્જીનીયર થાય તો પણ પેલાં ધાર્મીક અસત્યોને ફગાવવા તૈયાર નથી. કર્મકાંડોથી મુકદ્દર નથી બદલી શકાતાં. છતાં તે તરેહ તરેહના કર્મકાંડો કર્યે રાખે છે. લગ્ન ન થતાં હોય તો લોકો અખબારોમાં  જાહેરાત આપવાને બદલે બ્રાહ્મણોને ખેરાત કરે છે. કોઈને બાળક ન થતાં હોય તો ગાયનેકોલૉજીસ્ટને બદલે પામીસ્ટને મળે છે. વરસાદ ન પડે (અથવા અમીતાભ બચ્ચન બીમાર પડે) તો આખો દેશ યજ્ઞો કે પુજાપાઠ કરાવે છે. ધંધો ના ચાલતો હોય તો ગુરુવાર કરે છે. એ યાદ રાખવું પડશે કે વ્રત કરો પણ જીભ પર ઈમાનદારીનું સત ના હોય તો મુશ્કેલી ઉભી થાય. કોઈ યુવાન ઉપવાસમાં એક ટાઈમ અન્નનો ત્યાગ કરે. પણ દીવસમાં ગુટકાની ચોવીસ પડીકી આરોગી જાય ત્યારે સમજવું કે એ અમૃત ત્યજીને ઝેર પીવાની ભુલ કરે છે. (ભુલ પણ કેવી…? અન્નનો અપરીગ્રહ અને વ્યસનનો વ્યાસંગ…!) મળસ્કે ઉઠીને અગીયાર વાર માળા ફેરવો પછી ગલ્લા પર બેસીને બાવીસ ગ્રાહકોને લુંટો તો બચી ન શકાય. આજનો કહેવાતો ધર્મ માણસને અનીતીથી બચાવે એવી ઢાલ બની રહેવાને બદલે પાપને પોષતી દીવાલ બની ગયો છે.

 

‘બદલો ભલા બુરાનો અહીંનો અહીં મળે છે.’ રોજ માળા કરો પણ વ્યવહારમાં કર્મ કાળાં કરો તો બચી ના શકો. કર્મકાંડોથી નહીં, (થઈ શકવાનું હોય તો) સદ્દકર્મોથી જ માણસનું કલ્યાણ થઈ શકે છે. સ્વર્ગ–નર્ક હોય કે ન હોય; પણ માનવતા અને સૌજન્યપુર્ણ વર્તાવ જેવું સ્વર્ગ બીજું એકે નથી. સુખી થવા માટે ધર્મગ્રંથો કરતાંય માણસનાં મન વાંચવાની વીશેષ જરુર છે. યાદ રહે સુખશાંતી મંદીરમાંથી નહી; મનમાંથી પ્રગટે છે. રોજ મળસ્કે ઉઠીને ગીતાના ચાર અધ્યાય વાંચતો માણસ કોકની મીલકત પચાવી પાડવા કાવાદાવા કરે તો કૃષ્ણ રાજી ન થાય બલકે હાલત કૌરવો જેવી થાય. કોક નાસ્તીક મંદીરે ન જાય પણ ઝુંપડપટ્ટીમાં જઈને ભુખ્યાં બાળકોને અન્ન કે વસ્ત્રો પુરાં પાડતો હોય તો સંભવત: ઈશ્વર એને ખુદ પુછે- ‘બતા તેરી રઝા ક્યા હૈ ?’

 

તાત્પર્ય એટલું જ – ધર્મ એટલે ઘીનો દીવો, અગરબત્ત્તી કે નારીયેળ નહીં. ધર્મ એટલે ફરજ, પ્રામાણીકતા, માનવતા, ઈમાનદારી અને દુ:ખીઓનાં આંસુ લુછવાની ભાવના. સ્વામી વીવેકાનંદે કહેલું- ‘ઈશ્વર સામે જોડાતા બે હાથ કરતાં દુ:ખીઓનાં આંસુ લુછવા આગળ વધતો એક હાથ વધુ ઉપયોગી છે !’ ખરી વાત એટલી જ, કોઈ પણ ધર્મ પાળો પણ માનવધર્મને અગ્રક્રમે રાખો. ધર્મને નામે અધર્મની આરતી ના ઉતારો. પથ્થરની મુર્તી સમક્ષ થાળ ભલે ધરો પણ ઝુંપડપટ્ટીનાં ભુખ્યાં બાળકોને પણ થોડું ભોજન આપો. શીવલીંગ પર દુધ  રેડશો તો એ ગટરમાં ચાલ્યું જશે. ભુખ્યાઓનાં જઠરને શંકરનું લીંગ સમજીને એમાંનું અડધું દુધ એ સુકી ગટરમાં ઠાલવો. શંકરના આશીર્વાદ જરુર મળશે. શ્રદ્ધાથી મનને શાંતી મળતી હોય તો બેશક શ્રદ્ધાનું સ્થાન હાથરુમાલ જેવું છે. તે ગજવામાં શોભે-ખભે નહીં. માણસ મૈયતમાં ખભે ટુવાલ નાંખતો હોય છે. બુદ્ધીનું ઉઠમણું થાય ત્યારે તે  અંધશ્રદ્ધાનો ટુવાલ ખભે નાખીને ફરે છે. આખું જીવન પાપ કરો પછી પાપ ધોવા ગંગામાં ડુબકી મારો ત્યારે ખીસ્સાનો રુમાલ ટુવાલ બની ખભે આવી પડે છે.

 

ઝાઝો હોબાળો કર્યા વીના થોડીક વાત ગાંઠે બાંધી લેવા જેવી છે: (1) ભગત-ભુવાથી ભાગ્યના લેખ મટતા નથી. (2) સદ્ કર્મોથી જે કલ્યાણ થઈ શકે તે કર્મકાંડોથી નથી થતું. (3) પુજા– પાઠ કરાવવાથી સંતોનો પરીક્ષામાં પાસ થતાં નથી. 

મોરારીબાપુની સલાહ કાનની બુટ ઝાલીને માનવી પડશે- ‘ઘરમાં ઉદ્ ભવેલી સમસ્યાનો ઉપાય હરદ્વારમાંથી ન મળે. એ તો ઘરમાં જ ઉકેલવી પડે ! (બચુભાઈ ઉમેરે છે- ‘માથાનો દુ:ખાવો પગના તળીયે બામ ઘસવાથી દુર ન થાય.) આગ પ્રવાહીથી હોલવી શકાય; પણ તે પેટ્રોલ હોય તો ન ચાલે. સંસારની સમસ્યાઓને વીવેકબુદ્ધીના પાણીથી હોલવી શકાય. અંધશ્રદ્ધાનું પેટ્રોલ છાંટશો તો ભડકા મોટા થશે. સગો પીતા દૈવીશક્તી પ્રાપ્ત કરવા માટે પોતાના દીકરાનો બલી ચઢાવે ત્યારે જે ભડકો થાય છે તેની જ્વાલાઓ પેપરના પાને પ્રગટી ઉઠે છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં એવા ભડકા વીશેષ થાય છે. (હમણાં એવા સમાચાર મળ્યા કે સૌરાષ્ટ્રના કોઈ ગામમાં સગી માતાએ દીકરાનો બલી ચઢાવી દીધો.) એકવીસમી સદીમાં કમ્પ્યુટર, ઈન્ટરનેટ અને ઉપગ્રહોની બોલબાલા ભેગી અંધશ્રદ્ધાઓની બલા પણ રેસમાં ઉતરી છે. 

 

ચુંટણીમાં પંજો જીતે કે કમળ તેથી ખાસ નુકસાન નથી, પણ જીવન વ્યવહારમાં અંધશ્રદ્ધા બીનહરીફ ચુંટાતી આવી છે તે ઓછા દુ:ખની વાત નથી. ચાલો આપણે સૌ ભેગા મળી એવા પ્રયત્નો કરીએ કે વીવેકબુદ્ધીનો વીજય થાય અને અંધશ્રદ્ધાની ડીપોઝીટ ડુલ થાય.

જરા વીચારો તો ખરા કરોડો માણસોના હજારો ધર્મો અને સેંકડો ભગવાનો… દુ:ખ સૌનાં સરખાં… લોહી સૌનું સરખું… આંસુ અને આઘાતોમાં કોઈ ફેર નહીં… સૌના ભોગવટા, જીવનવટા અને સ્મશાનવટા સરખાં તો ધર્મવટા કે સંપ્રદાયવટા કેમ જુદા…? ઈન્સાન સૌ સરખા તો ભગવાન કેમ જુદા…? અંધશ્રદ્ધાળુઓનું તો સમજ્યા પણ શા માટે એક વકીલ કે ડૉક્ટરની કારમાં સ્ટીયરીંગ આગળના અરીસા પર લીંબુ અને મરચું લટકતાં જોવા મળે છે ? શીક્ષીત લોકો આ એકવીસમી સદીમાંય હજી અંધશ્રદ્ધામાં કેમ અટવાય છે ? સુરેશ દલાલે સાચી ફરીયાદ કરી છે- ‘ભણેલાં આટલાં અભણ કેમ ? ચાલો વીચારીએ…..

-દીનેશ પાંચાલ

લેખકના અને ‘લાટસાહીત્ય’ના સૌજન્યથી સાભાર…

અક્ષરાંકન:ગોવીન્દ મારુ


વર્ષગાંઠ (26-05)


1 ) દોશી હિતેન નવનીતરાય ચુનીલાલ
2 ) મેહતા વિરલ મહેશ છોટાલાલ
3 ) સંઘવી ડિંપી નરેન્દ્ર છગનલાલ
4 ) શાહ અનંતરાય ભોગીલાલ
5 ) ત્રેવાડિયા ટ્વિંકલ સુરેશ ઊજમશી

Friday, May 25, 2012

વર્ષગાંઠ (25-05)


1 ) દોશી અનીલ મનહરલાલ
2 ) મેહતા ડૉ.. રૂપાલી મેહુલ હસમુખલાલ કેશવલાલ
3 ) મેહતા મિતેષ કનક ત્રિકમજી
4 ) મેહતા હર્ષિતા ભરત હરગોવિંદદાસ
5 ) શાહ ભાવીની કમલેશ હીરાલાલ માણેકલાલ
6 ) શાહ પારસ લલિતરાય મણીલાલ
7 ) શાહ વિરલ વસંતરાય ગુલાબચંદ
8 ) શાહ કીનલ અજય નગીનદાસ
9 ) શાહ ચમનલાલ હિમતલાલ રેવાશંકર
10) વખારીયા મૃદુબેન કાન્તિલાલ

Thursday, May 24, 2012

અંધશ્રદ્ધાના મુળમાં આપણી અજ્ઞાનતા



પશ્ચીમના વીકસીત દેશો વૈજ્ઞાનીક શોધખોળો અને ટૅકનોલોજીનો ઉપયોગ કરી, માનવજીવનને વધારે સુખસગવડભર્યું બનાવે એવાં જીવનોપયોગી સાધનોનું સંશોધન કરી રહ્યા છે; જ્યારે આપણે એકવીસમી સદીમાં પણ મંત્ર–તંત્ર, ભુત–પ્રેત, હોમ–હવન અને મીથ્યા કર્મકાંડોમાં આપણો સમય, શક્તી, બુદ્ધી અને નાણાં બધું જ બરબાદ કરી રહ્યા છીએ.

 

પશ્ચીમના દેશો રોજ નવાં ‘યંત્રો’ બજારમાં મુકે છે અને આપણે રોજ નવાં ‘મંત્રો’ બજારમાં મુકીએ છીએ ! આપણે ત્યાં વીંછી ઉતારવાનો મંત્ર, સાપ ઉતારવાનો મંત્ર, કમળો ઉતારવાનો મંત્ર, મરડ–મોચ ઉતારવાનો મંત્ર, સફળ થવાનો મંત્ર, વશીકરણનો મંત્ર, વરસાદ લાવવાનો મંત્ર, ગૃહશાંતી સ્થાપવાનો મંત્ર, પનોતી ટાળવાનો મંત્ર, સંતાન પ્રાપ્તી માટેનો મંત્ર, માણસનો કોઈ પણ રોગ મટાડી દેવાનો મંત્ર અને માણસને પતાવી દેવા સુધીનો મંત્ર પણ મળી રહે છે !

 

કોઈ ડૉક્ટર આપણા શરીરમાંથી બગડી ગયેલ કીડની કાઢી નાખે ત્યારે આપણને ચમત્કાર નથી લાગતો; પરંતુ કોઈ બાવો તેના હાથમાંથી કંકુ કે ભસ્મ કાઢે ત્યારે તે આપણને ચમત્કાર લાગે છે ! મોબાઈલ ફોનનું એક બટન દબાવી અમેરીકામાં રહેતા આપણા સ્વજન સાથે આપણે વાત કરી શકીએ છીએ તે આપણને ચમત્કાર નથી લાગતો; પરંતુ કોઈ પાખંડી અતીન્દ્રીય(ટેલીપથી) સંદેશા દ્વારા વાત કર્યાનો દંભ કરે ત્યારે એ આપણને ચમત્કાર લાગે છે ! કોઈ ઓર્થોપેડીક સર્જન આપણાં ભાગી ગયેલાં હાડકાંને જોડી આપણને દોડતાં કરી આપે ત્યારે તે આપણને ચમત્કાર નથી લાગતો; પરંતુ કોઈ તાંત્રીક અભીમંત્રીત દોરો બાંધીને આપણને સાજા કરવાનો મીથ્યા પ્રચાર કરે ત્યારે તે આપણને ચમત્કાર લાગે છે ! કમળાની રસી શોધનાર વીજ્ઞાની આપણને ચમત્કારીક માણસ નથી લાગતો; કમળો મટાડવા માટે મંત્રેલા દાળીયા આપનારો ઢોંગી આપણને ચમત્કારીક માણસ લાગે છે !

 

આજે વૈજ્ઞાનીક યુગમાં પણ ચમત્કાર, પરકાયા પ્રવેશ, ડાકણ અને મેલીવીદ્યાના નામે હજારો માણસોનુ માનસીક, શારીરીક અને આર્થીક શોષણ થતું રહે છે. કુળદેવીને રીઝવવાના નામે કેટલાંયે પશુઓ અને કુમળાં બાળકોના બલી ચડાવી દેવામાં આવે છે. વળગાડ, પ્રેતાત્મા અને ડાકણના નામે આપણા દેશમાં કેટલીય સ્ત્રીઓના ભોગ લેવામાં આવ્યા છે. દુનીયામાં ‘વળગાડ’ નામની કોઈ ચીજ જ અસ્તીતવમાં નથી; વળગાડ માત્ર એક માનસીક બીમારી છે. જગતમાંથી દુર કરવા જેવો કોઈ ‘વળગાડ‘ હોય તો એ ‘અંધશ્રદ્ધા’નો વળગાડ છે. ભારતમાં અને જગતમાં આજે પણ હજારો ભુતીયાં મકાનો ઉભાં છે જ્યાં કોઈ રહેતું નથી. ડૉ. અબ્રાહમ કોવુરે ૫૫ વર્ષ સુધી અંધશ્રદ્ધાના ક્ષેત્રમાં ગહન અધ્યયન કર્યું અને તેઓ દીવસો સુધી ભુતીયાં મકાનોમાં રહ્યા છે. ડૉ. કોવુરે પોતાની જીન્દગીભરના અભ્યાસ પછી જાહેર કર્યું છે કે, ‘ભુતીયાં મકાનો અને ઉપદ્રવી  આત્માઓના કીસ્સાઓ માત્ર માણસની ભ્રમણાઓ છે અને તે આપણી માનસીક નબળાઈનું પ્રદર્શન કરે છે.’ 


‘ડુમ્મસનો સોની પરીવાર તાંત્રીકના રવાડે’ શીર્ષક હેઠળ અખબારોમાં ચોંકાવનારા સમાચાર પ્રગટ થયા હતા. સોની પરીવાર પોતાને ત્યાં વારંવાર બની રહેલ ચોરીના બનાવોથી વ્યથીત હતો. પોતાની આ ચાલતી ‘પનોતી’ દુર કરવા તેમણે તાંત્રીક હનુમાનદાસ તીવારીનો આશરો લીધો હતો. ‘ઘરમાં એક હાડકું દટાયેલું છે તે દુર કરવાની વીધી કરવાથી પનોતી ટળી જશે’, એવું તાંત્રીકે આશ્વાસન સોનીપરીવારને આપ્યું હતું. પડોશમાં રહેતા નવમા ધોરણમાં અભ્યાસ કરતા બાળક રવીને બોલાવી, તેના પર કંઈક વીધી કરી, ઘરમાં ખોદેલા ખાડામાં રવીને ઉતારવામાં આવ્યો. ‘હાડકું ક્યાં દટાયું છે ?’ એવા પ્રશ્નો રવીને પુછવામાં આવ્યા. પડોશમાં જ રહેતી રવીની માતાને પોતાના દીકરા પર કંઈક તાંત્રીક વીધી થઈ રહ્યો છે એવી જાણ થતાં તે ઘટના સ્થળે દોડી આવ્યાં. પોતાના દીકરા રવીને ઉંડા ખાડામાં જોઈ, ‘રવીનો બલી ચડાવાઈ રહ્યો છે’ એવી તેની માતાએ બુમો પાડતાં આખું પ્રકરણ પ્રકાશમાં આવ્યું. પોલીસના જણાવ્યા પ્રમાણે તાંત્રીકે આ પનોતી નીવારણનો વીધી કરવા માટે સોનીપરીવાર પાસેથી ૫૦૦૦ રુપીયા એડવાન્સ લીધી હતા. બલીની વાતમાં તથ્ય હતું કે નહીં એ તો પોલીસ તપાસનો વીષય છે. રવી તો નહીં; પણ તેના ૫૦૦૦ રુપીયા બલી ચડયા એ વાત પાકી ! સુરત–ઉમરા પોલીસે આ તાંત્રીક સામે છેતરપીંડીનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી છે. વીધી દ્વારા બીજાની આફત નીવારવા નીકળેલો તાંત્રીક પોતે જ આફતમાં આવી ગયો ! મને ઘણીવાર લાગે છે કે, કેટલાક માણસો પોતાની તીજોરી ખુલ્લી રાખે છે અને પોતાનું દીમાગ સાવ બંધ રાખે છે !

 

જાત–ભાતના તાંત્રીકો, પાખંડીઓ, ઢોંગીઓ અને તકસાધુઓ ધર્મના ઓઠા હેઠળ ફુટી નીકળ્યા છે ! કોઈ મંત્રેલું પાણી આપે છે, કોઈ મંત્રેલો પ્રસાદ આપે છે, કોઈ મંત્રેલું માંદળીયું કે તાવીજ આપે છે, તો કોઈ વળી ભભુતી આપે છે ! દોરા–ધાગા અને મંત્ર–તંત્રાદી કરવામાં કેટલાંયે બીમાર બાળકોને સમયસર દાક્તરી સારવાર નહીં મળવાના કારણે આ દેશમાં મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે.

 

ગામડાંઓમાં આપણે જોયું છે, ભુવાઓ બીમાર માણસ કે ઢોરને સાજા કરવા માટેના ‘દોરા’ કરે છે ! કોઈ પણ દુખાવામાં કામ આપે એવા મલ્ટીપરપઝ દોરા આપણે ત્યાં મળે છે ! અરે, ભેંસ દોહવા ન દેતી હોય તો તેનો પણ દોરો મળે અને દુધ વધારે આપે એના માટે પણ દોરો મળે !

 

મંત્ર–તંત્રથી જો માણસને સાજો કરી શકાતો હોત તો, આપણા દેશમા તો એટલા બધા મંત્રનીષ્ણાતો છે કે બધાં દવાખાનાંને તાળાં જ મારવાં પડે ! કોઈ આરોપીને પોતાની ધરપકડ થશે એવો ડર લાગે તો તે કોર્ટમાંથી આગોતરા જામીન મેળવી શકે છે, એવી રીતે કોઈ માણસને બીમાર પડી જવાનો ભય લાગે તો આગોતરા મંત્રોચ્ચાર પણ કરાવી શકે ! સદાય નીરોગી રહેવાનો કેટલો આસાન ઈલાજ ! મીત્રો, દોરા–ધાગા માત્ર એવા રોગોમાં જ કામ કરતા હોય છે જે રોગો સમય જતાં આપોઆપ મટી જતા હોય છે.

 

કોઈ માણસને બંદુકની ગોળી વાગી હોય ત્યારે દોરો બંધાવવા જાય છે ખરો ? અકસ્માતમાં ખોપરી ફાટી જાય અને લોહીની શેડો ફુટતી હોય ત્યારે કોઈને કદી દોરો યાદ આવ્યો છે ખરો ? હાર્ટએટેક આવે ત્યારે માણસ કોઈ તાંત્રીક પાસે પહોંચવાને બદલે કેમ સીધો જ કાર્ડીયાક હૉસ્પીટલમાં પહોંચી જાય છે ? માથું દુખે ત્યારે માણસને દોરો યાદ આવે છે; પરતું માથું ફુટે ત્યારે કોઈને દોરો યાદ નથી આવતો !

 

મેં ગામડાંમાં ભુવાઓને ડાકલાં કરતા અને ધતીંગ કરતા પણ જોયા છે. કલાકો સુધી પોતાની પીઠ પાછળ લોખંડની સાંકળ વીંઝતા પણ જોયા છે સાંકળપ્રુફ હોવાનો દાવો કરનાર કોઈ પણ ભુવો પાંચ મીનીટ માટે એ સાંકળ સુરતની સત્યશોધક સભાના માજી–ઉપપ્રમુખ અને ૨૦૧૦ના વર્ષના ‘રમણભ્રમણ સુવર્ણચન્દ્રક વીજેતા’ શ્રી. મધુભાઈ કાકડીયાના હાથમાં આપે અને પછી જીવી બતાવે તો એ ખરો ભુવો !

 

આપણે સૌએ ગામમાં કહેવાતી તાંત્રીક વીદ્યા અને મંત્રશક્તી ધરાવતા ભુવાઓનાં ઘર પણ જોયાં છે. મીત્રો, જે ભુવા પાસે ઘરનું નળીયું બદલવાની શક્તી ન હોય; જે ભુવા પાસે બીજી જોડી કપડાં લેવાની શક્તી ન હોય; જે ભુવા પાસે પોતાનાં સંતાનોને સાત ચોપડી ભણાવવાની શક્તી ન હોય અને જે ભુવા પાસે પોતાની ઉંમરલાયક દીકરીને પરણાવવા માટેની શક્તી ન હોય એ ભુવા પાસે બીજી તો કઈ શક્તી હોય ?

 

હોમ–હવન અને યજ્ઞોમાં પણ આપણે આપણાં કીમતી દ્રવ્યો બરબાદ કરી રહ્યા છીએ. હવન કરવાથી ન તો આપણે દુષ્કાળને ટાળી શક્યા છીએ કે ન તો વીશ્વશાંતીની સ્થાપના કરી શક્યા છીએ. જો યંજ્ઞો કે મંત્રોચ્ચારથી વરસાદ થતો હોત તો આપણે ત્યાં તો એટલા બધા યજ્ઞો થાય છે કે અતીવૃષ્ટીથી હોનારત થવી જોઈએ ! જે દેશ મંત્રોચ્ચારથી સતત ગુંજતો રહેતો હોય એ દેશની પ્રજાને તો લીલાલહેર ન હોય ? મીત્રો, મહેનત વગર માત્ર મંત્રોચ્ચારથી કશું પ્રાપ્ત થતું નથી. પુરુષાર્થ જ ખરો જીવનમંત્ર છે.

 

આપણે જંગલોને આડેધડ કાપી નાખ્યાં, પર્યાવરણને મનફાવે તેમ બગાડ્યું અને પાણીનો તો અપરાધની કક્ષાએ બેફામ વેડફાટ કર્યો છે. ઈઝરાયલે રણને જંગલમાં ફેરવ્યું; આપણે જંગલને રણમાં ફેરવી રહ્યા છીએ ! જ્યાં સખત મહેનત, વીવેક અને આયોજનની જરુર હોય ત્યાં મંત્રોચ્ચાર, યજ્ઞો કે હોમ–હવન કરવા બેસી જઈએ તો આપણો કદી પણ ઉદ્ધાર સંભવ ખરો ?

 

મંત્ર–તંત્ર અને ચમત્કારની વાતો સાચી હોત તો આપણો દેશ આજે આટલો દુઃખી અને પછાત કેમ છે ? દુનીયામાં સૌથી વધુ સંખ્યામાં ચમત્કારીઓ આપણા દેશમાં વસે અને છતાં આપણે આટલા ગરીબ, પીડાગ્રસ્ત અને દુષ્કાળગ્રસ્ત ! ઢોંગીઓ અભીમંત્રીત જળ આપવાને બદલે, પાણીના અછતગ્રસ્ત વીસ્તારમાં ડોલ ભરીને પીવાનું શુદ્ધ પાણી આપશે તો પણ થોડાક તરસ્યા માનવીઓની તરસ મટશે. હવામાંથી બીનજરુરી કંકુ કે ભસ્મ કાઢવાને બદલે મુઠી અનાજ કાઢશે તો પણ એક ભુખ્યા માણસનું પેટ ભરાશે.

 

સંસારમાં રહેલા કપટી, પાખંડી અને ઢોંગી ધુતારાઓએ સદીઓથી સમાજમાં રહેલી પ્રજાની અજ્ઞાનતા અને નીર્બળતાનો ગેરલાભ ઉઠાવ્યો છે. પ્રત્યેક કાળમાં સમાજમાં રહેલા નીષ્ઠાવાન આગેવાનોએ, સમાજસેવકોએ અને પ્રગતીશીલ વીચારકોએ પ્રજાને આ ષડ્યંત્રમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો છે. ઘણીવાર એવું બન્યું છે કે ‘પ્રગતીશીલ વીચારકો’ કરતાં ‘પ્રગતીશીલ પાખંડી’ઓ સમાજમાં ઉંચો માનમોભો ધરાવતા હોય છે. આમ બને ત્યારે તંદુરસ્ત સમાજના નીર્માણની આશા વધારે ધુંધળી બને છે.

 

એક દીવસ આપણી અજ્ઞાનતા ટળે અને લેભાગુઓને પોતાનો ધંધો સમેટવાની અને બદલવાની ફરજ પડે એવા દીવસોની મને પ્રતીક્ષા છે….


પ્રસાદ

‘જે પોતાના ચમત્કારો ચકાસવા દેતા નથી તે ઠગ છે, જેનામાં ચમત્કાર ચકાસવાની હીંમત નથી તે ભોટ છે અને જે ચકાસણી વગર જ તેને માનવા તૈયાર થાય છે તે મુર્ખ છે.’

ડૉ. અબ્રાહમ કોવુર


લેખક–શ્રી. વલ્લભભાઈ ઈટાલીયા

અક્ષરાંકન – ઉત્તમ ગજ્જર


વર્ષગાંઠ (24-05)


1 ) ગાર્ડી કિશોર પ્રભુલાલ
2 ) ઘૉલાણી પરીન મનહર ધીરજલાલ સોમચંદ
3 ) પટેલ જતીન પાનાચંદ
4 ) શાહ પિંકી જ઼િગ્નેશ મધુકર
5 ) શેઠ ડૉ.પીના જય ભુપતરાય ખુશાલચંદ
6 ) વોરા કનૈયાલાલ ખાંતિલાલ

Wednesday, May 23, 2012

વર્ષગાંઠ (23-05)


1 ) દોશી અમિષા વિપુલ મુગટલાલ
2 ) મેહતા શ્રેણીક વિજય વનેચંદ
3 ) પારેખ કલ્પના મુકુન્દ કાન્તિલાલ
4 ) સંઘવી વૈભવ ભાવેશ જયંતિલાલ
5 ) સંઘવી નીલા નરેન્દ્ર
6 ) શાહ દિનેશ કાન્તિલાલ
7 ) શાહ લલિત ચમ્પકલાલ
8 ) શાહ પ્રફુલ્લા અનોપચંદ જૂઠાલાલ
9 ) શાહ રિતેશ દોલતભાઈ અમૃતલાલ

Tuesday, May 22, 2012

ભૌતીકવાદ – નૈતીકતા – અધ્યાત્મવાદ

‘માનવીને તેનું જીવન માત્ર એક જ વાર મળે છે - તો તેણે તેની જીન્દગી એવી રીતે જીવવી જોઈએ કે તે મરતાં મરતાં સંતોષપુર્વક કહી શકે કે ‘મેં મારું સમગ્ર જીવન ઉદાત્તમાં ઉદાત્ત ધ્યેય પાછળ ખર્ચ્યું છે – અને તે છે સમસ્ત માનવજાતની મુક્તી’
–લેનીન


લેનીન ભૌતીકવાદી હતો, નાસ્તીક હતો, નીરીશ્વરવાદી હતો અને છતાં તેણે દુનીયાનાં તમામ ભૌતીક સુખ અને સગવડને ત્યાગી માનવજાતની મુક્તી અર્થે તેનું સમગ્ર જીવન અર્પ્યું હતું. બુદ્ધ નાસ્તીક હતા, નીરીશ્વરવાદી હતા, આત્મા પરમાત્માની ફીલસુફીમાં માનતા નહોતા અને છતાં તેઓએ સમગ્ર જીવન સમર્પીત કર્યું.

ભૌતીકવાદી સંપુર્ણપણે નૈતીક હોય છે, હોઈ શકે છે. તેને નૈતીક મુલ્યોનાં આચરણ માટે સ્વર્ગ, નર્ક, પાપ, પુણ્ય, આત્મા, પરમાત્મા, ધર્મ ઈત્યાદીનો આશરો લેવો પડતો નથી. તે નૈતીક મુલ્યોનું હાર્દ બુદ્ધીથી અને તર્કથી બરાબર સમજે છે અને તેથી તેના માટે નૈતીક આચરણ સહજ બની જાય છે.

ઈશ્વરવાદીઓ, આત્મા-પરમાત્મા અને પરલોકની ફીલસુફીમાં રાચનારાઓ અને ધર્મમાં શ્રદ્ધા ધરાવનારાઓ, કેવળ પોતાના જ આત્માના શ્રેય માટે મોટાભાગે સ્વકેન્દ્રી બની જાય છે. તેમને રહેવું છે આ લોકમાં, અને વાતો કરવી છે પરલોકની ! પરીણામે તેમના આચાર-વીચારમાં વીસંગતતા આવી જાય છે. તેમની આ વીસંગતતા નૈતીક મુલ્યોનાં આચરણમાં દંભના રુપે દેખા દે છે. ખાવું, પીવું ને પ્રસન્ન રહેવું એ આલોકવાદી માનવીની મુળભુત પ્રકૃતી છે. ભૌતીકવાદીઓ, માનવીની આ મુળભુત પ્રકૃતીનો સ્વીકાર કરે છે. તેનું અકુદરતી રીતે દમન કરતો નથી અને છતાં તે જ જીવનનું અંતીમ ધ્યેય છે એમ તે કદાપી માનતો નથી. તેનું અંતીમ ધ્યેય માનવજાતીની કષ્ટમુક્તી છે અને સર્વાંગી સુખાકારી જ છે. આ ધ્યેયની એરણ પર તેની દરેક પ્રવૃત્તી-ચીન્તનને તે વારંવાર ચકાસે છે. તેને તેની ખાવા-પીવા અને મોજ કરોની પ્રકૃતીને મારવા – મચકોડવાની આવશ્યક્તા રહેતી નથી. ઈશ્વરવાદીઓ, ધાર્મીક નેતાઓ, આધ્યાત્મવાદીઓ વગેરે માનવસહજ મુળભુત પ્રકૃતીથી પર તો નથી જ. તેઓ પણ આ પ્રકૃતીને સંપુર્ણપણે આધીન હોય છે. પણ તેમની પરલોકવાદી વીચારસરણી તેમને આ જીવનમાં તેમની આ મુળભુત પ્રકૃતીનો કુદરતી અને સહજ સ્વરુપે સ્વીકાર કરવામાં બાધારુપ બની જાય છે. પરીણામે મોટાભાગે તેઓ દંભનો આશરો લે છે. તેમની સ્વકેન્દ્રીય વીચારસરણીના પ્રતાપે તેઓ સમાજાભીમુખ નથી રહી શકતા. તેથી તેનો પડઘો તેમના દ્વારા રચાતા સાહીત્ય, સંગીત, કલા, સમાજશાસ્ત્ર, ફીલસુફી ઈત્યાદીમાં પડે છે.

સવાલ એ થાય છે કે ભૌતીકવાદ એટલે શું ? ‘ખાવું, પીવું અને મોજ કરવું’ એ ભૌતીકવાદ છે ? ના જી. ભૌતીકવાદ એટલે આ જગત જે છે તે સત્ય છે, મીથ્યા નથી – બલકે એ જ સત્ય છે. અને બ્રહ્મ મીથ્યા છે – એક કલ્પના માત્ર છે. આ જગત કોઈ પરમાત્મા – બ્રહ્માનું સર્જન નથી. ચાર્વાકની આવી ફીલસુફીએ તત્કાલીન વેદ, વેદાંત, ઉપનીષદની બ્રહ્મ, આત્મા, પરમાત્મા, ઈશ્વર, પુનર્જન્મ, પાપ, પુણ્ય, સ્વર્ગ, નર્ક, જ્યોતીષની વીચારસરણીનું ખંડન કર્યું. ચાર્વાકની ભૌતીકવાદની ફીલસુફીએ તત્કાલીન બ્રાહ્મણો, પુરોહીતો, ક્ષત્રીયોનાં સ્થાપીત હીતો પર સીધો ઘા કર્યો, જેના પ્રત્યાઘાત રુપે આ સ્થાપીત હીતોએ ચાર્વાકનાં પુસ્તકોનો નાશ કર્યો અને ‘ઋણ કરીને પણ ઘી પીઓ’ની ચાર્વાકની ઉક્તીનો મનઘડંત અર્થ તારવી ચાર્વાકની ફીલસુફીની ઠેકડી ઉડાડી.

જો આપણે ચાર્વાકની ફીલસુફી ‘ભૌતીકવાદ’નું યથાર્થ મુલ્યાંકન કરી તેને અનુસર્યા હોત, તો ભારત આજે જ્ઞાન-વીજ્ઞાન-ટેકનોલૉજીમાં મોખરે હોત; પણ ‘જગત મીથ્યા છે. બ્રહ્મ સત્ય છે’ એવી અવળી–ઉલટી ફીલસુફીથી આપણો સમાજ સ્થગીત થઈ ગયો – નીજકેન્દ્રી થઈ ગયો. પરદેશીઓનાં આક્રમણનો સફળતાપુર્વક સામનો આપણો સમાજ કરી શક્યો નહીં. આજના સંદર્ભમાં પણ ચાર્વાકની ભૌતીકવાદની ફીલસુફીની એટલી જ આવશ્યકતા છે. પરલોકની કલ્પના ત્યાગી, આજનું અહીંનું જીવન કેમ સ્વચ્છ, આરોગ્યપ્રદ, અભાવમુક્ત, સમરસ બને અને છેવાડાના માણસ સુધી સૌ સુવીધા અને સુખ સમાન રીતે પહોંચે તે જ આપણી નીસ્બત હોવી ઘટે. 
આપણે જો દુનીયાના વીકસીત દેશોની હરોળમા સ્વમાનભેર ઉભું રહેવું હોય તો ચાર્વાકની ભૌતીકવાદની ફીલસુફી આધારીત જ્ઞાન-વીજ્ઞાન અને ટેકનોલૉજીનો સમુચીત વીનીયોગ અત્યંત આવશ્ય છે, અનીવાર્ય છે.
– ગોવીન્દ મારુ – નવસારી

વર્ષગાંઠ (22-05)


1 ) મેહતા જિતેન્દ્ર જયંતિલાલ સુખલાલ
2 ) મેહતા હિતાન્શિ નીતુલ સૂર્યકાન્ત નારણદાસ
3 ) મેહતા રુચિતા મહેશ વિનોદરાય
4 ) મેહતા મંથન રાકેશ રમણીકલાલ નિમચંદ
5 ) પારેખ કલ્પના અનીલ જેઠાલાલ
6 ) પારેખ હર્ષા મનહરલાલ
7 ) શાહ અમિતા કેતન ભુપતલાલ પ્રેમચંદ
8 ) શાહ કલ્પેશ હર્ષદ રતીલાલ
9 ) સોલાણી રાજેશ ફતેચંદ
10) વોરા પરેશ ગુણવંતરાય હેમતલાલ

Monday, May 21, 2012

મૃત્યું




વાંકાનેર નિવાસી સ્વ. કાંતિલાલ દેવચંદ મહેતાના ધર્મપત્ની વીણાબેન (ઉં. વ. ૭૫), તે ધીરેન, પ્રદીપ, જયશ્રી કિશોરકુમાર સુતરીયાના માતુશ્રી. તે મીનાબેન, રૂપાબેનના સાસુ. તે સ્વ. ચંદ્રકાંતભાઈ, ધીરૂભાઈ, સ્વ. શાંતાબેન, વિમળાબેન, નર્મદાબેન, વસુબેનના ભાભી. તે સોમચંદ કીરચંદ શેઠના દીકરી ૧૯-૫-’૧૨ ને શનિવારના વાંકાનેર અરિહંતશરણ પામેલ છે. (લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે).

વર્ષગાંઠ (21-05)


1 ) દોશી ખુશાલી કેતન ચમનલાલ
2 ) શેઠ હેમલતા બિપીન જેવતલાલ
3 ) લોદરિયા ભાવના દિનેશ મુગટલાલ
4 ) મેહતા મંજિલ નરેશ ખોડીદાસ
5 ) શાહ પૂર્વી કિશોર હિમતલાલ
6 ) શેઠ રાજવી ચેતન કિશોરચંદ્ર
7 ) શેઠ કુન્દન ધીરજલાલ છોટાલાલ

Sunday, May 20, 2012

મૃત્યું



મોરબી હાલ ઘાટકોપર સ્વ. વાડીલાલ રાજપાળ મહેતાના પુત્ર મહેન્દ્રકાંત (ઉં. વ. ૭૩) તે મિતેષના પિતાશ્રી. અ. સૌ. તેજલના સસરા. ભુપતભાઇ, મધુસુદનભાઇ, વસુમતીબેન, નિરંજનાબેન, ઇંદીરાબેનના ભાઇ. સ્વ. અમૃતલાલ પ્રાણજીવન લોદારિયા (શાહ)ના જમાઈ  ૧૮-૫-૧૨ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા- લૌ. વ્ય. બંધ છે. સવિતા બિલ્ડીંગ, બ્લોક નં. ૮, શ્રીમદ્ રાજચંદ્ર લેન, ૮૬, તીલક રોડ, ઘાટકોપર (ઇ.).


મૃત્યું



વાંકાનેર હાલ ઘાટકોપર જટાશંકર કુંવરજી શાહના ધર્મપત્ની મરઘાબેન (ઉં. વ. ૮૮) તે મહેશભાઇ, હરેશભાઇ, જગદીશભાઇ, ધીરજબેન, જયોતીબેન, પંકજબેનના માતુશ્રી. જયશ્રીબેન, ચંદ્રીકાબેન, પારૂલબેનના સાસુ. અમીત, નીલુ, નીતુ, રીમ્પલ, ભદ્રેશ, મિતેશ, વત્સલના દાદી. માંડલવાલા મોહનલાલ ડુંગરશી શાહના દીકરી ૧૮-૫-૧૨ના અરિહંતશરણ પામેલ છે. બંને પક્ષની ભાવયાત્રા સોમવાર ૨૧-૫-૧૨ના ૯ થી ૧૧ સ્થળઃ લાયન્સ કમ્યુનીટી હોલ, ગરોડીયાનગર, ઘાટકોપર (ઇ.). લૌ. વ્ય. બંધ છે.


ઝનુનને જ્ઞાન કદી નવ થાય !-પ્રા. રમણ પાઠક



માનવીના સ્વમાનનું જો કોઈ અપમાન હોય, તો તે ધર્મ છે: સત્ કાર્યો કરવા માટે સજ્જનો છે જ (એમને ધર્મની કોઈ અનીવાર્યતા નથી), એ જ રીતે દુષ્કૃત્યો કરવા માટે આ દુનીયામાં દુર્જનો છે (જેઓને ધર્મ રોકી શક્તો નથી). પરન્તુ જો સજ્જનને દુષ્ટ કૃત્યો કરતો બનાવી દેવો હોય, તો સચોટ માર્ગ છે, તેને ધાર્મીક બનાવી દો !

- સ્ટીવન વેનબર્ગ

મીત્રમંડળીમાં વાતવાતમાંથી ચર્ચા જામી કે, માણસને ભગવાન વીના ચાલે ? ત્યારે, પ્રારંભે જ કહી દઉં કે, ઉપસ્થીત આસ્તીક મીત્રોએ જે દલીલો કરી, તે કેવળ ઝનુનપ્રેરીત, સત્ત્વહીન, તર્કરહીત, અર્થહીન અને એકંદરે યુગો જુના એકના એક ચર્વીતચર્વણ જેવી બની રહી; કારણ કે આસ્તીકો પાસે કોઈ નક્કર દલીલ નથી, ક્યારેક તો તેઓની બુદ્ધી જ ઓછી પડતી લાગે છે યા તો છતી આંખે  ગાંધારીપાટા બાંધેલા પ્રતીત થાય છે, ક્યારેક વળી એમની એવી અસત્ય માન્યતા પાછળનું મુખ્ય પરીબળ શ્રદ્ધા અર્થાત્ અંધશ્રદ્ધા હોય છે.

 

મારો નમ્ર અભીપ્રાય એવો રહ્યો કે, જો આદીમાનવ ધર્મ અને ઈશ્વરની કલ્પનાજાળમાં ફસાયો ન હોત, તો આજે માનવવીશ્વમાં શાંતી હોત, બંધુતા હોત અને  માનવજાત  સાચી મુક્તી પણ માણતી હોત. કારણ સ્પષ્ટ છે: ઓશો રજનીશ કહે છે તેમ, આજ સુધીમાં સંસારમાં પંદરસો જેટલાં નોંધપાત્ર ‘ધર્મયુદ્ધો’ થયાં છે; નાનાં છમકલાં તો વધારામાં ! હકીકત સ્પષ્ટ જ છે કે, યુદ્ધોનાં પ્રધાન તથા મુળ કારણો બે જ રહ્યાં છે: કારણ કે વીજ્ઞાને અભુતપુર્વ, અજોડ, ભવ્ય પ્રગતી કરી, માનવી સમક્ષ સત્યો પ્રસ્તુત કર્યાં છે, અને બીજું, દુનીયા આજે ખુબ નાની બની ગઈ છે; એથી એનું એક જ અખંડ રાષ્ટ્ર રચી શકાય, જેથી રાષ્ટ્રવાદની સંકુચીત ઝઘડાખોર ભાવના જ નષ્ટ થાય. સંઘર્ષો, વેરઝેર તથા ભેદભાવ આપોઆપ જ નાબુદ થઈ જાય; કારણ કે ધર્મે બળપુર્વક લાદેલી ફરજીયાત નીતી, વ્યક્તીને માટે સહજ આંતરીક ગુણરુપ નથી હોતી, અને એનો પુરાવો એ જ કે, અવ્યવસ્થા, અંધાધુંધી કે રમખાણો દરમીયાન, ભુંડાંમાં ભુંડાં કૃત્યો આચરનારા લગભગ બધા જ શખ્સો ધાર્મીક હોય છે; જેઓ ઘોર અપરાધનેય સ્વર્ગદાયક ધર્મકૃત્ય ગણાવે છે યા માને છે. બીજી બાજુ, રૅશનાલીસ્ટો સામાજીક નીતીને એક અનીવાર્ય, હીતકારી નાગરીક ફરજ તરીકે, સામાજીક માનવીની સ્વાભાવીક આચારસંહીતા તરીકે અપનાવે છે, પછી તક મળતાં એનો ભંગ કરી લેવાની વૃત્ત્તીને માટે સ્થાન જ નથી રહેતું…

 

મંડળીમાંના એક સભ્યની દલીલ તો વળી આફલાતુન હતી: તેઓએ આની આ જ દલીલ કદાચ હજારમી વાર જાહેરમાં ફગાવીને, ભોળા ભાવકોને ઠગ્યા છે અને આજે ય તેઓની એ ઠગલીલા ચાલુ જ છે. તેઓ કહે છે: “રશીયાનો સરમુખત્યાર સ્તાલીન નાસ્તીક હતો અને સેક્યુલર હતો. તેણે ભગવાનને વચ્ચે લાવ્યા વીના જ લાખ્ખો કીસાનોની ઠંડે કલેજે કતલ કરાવી. સામ્યવાદી સમાજ સંપુર્ણ નાસ્તીક અને ધર્મરહીત હોય છે…

 

એવો જ સેક્યુલર નાસ્તીકતાનો ઝંડો ચીનમાં માઓ ત્સે તુંગે ફરકાવ્યો, અને સાંસ્કૃતીક ક્રાંતીને નામે અસંખ્ય માણસોને વધેરી નાખ્યા. વળી, ચીને તીબેટ ઉપર જે અમાનુષી દમન ગુજાર્યું, એમાંય ભગવાન તો ક્યાંય દેખાતો નહોતો… ઈત્યાદી… (આ મીત્ર સેક્યુલર શબ્દનો અર્થ જ સમજતા લાગતા નથી!)

 

નમ્રતાપુર્વક સત્ય જાહેર કરું કે, આ ત્રણે દલીલો (કે દાખલા) છલના છે, છેતરપીંડી છે અને કદાચ આત્મછલના પણ છે. કારણ કે આ મીત્ર નાસ્તીકતા (એથીઝમ) અને રૅશનાલીઝમ વચ્ચેનો તાત્ત્વીક અને મહત્ત્વનો ભેદ જ નથી જાણતા. સ્તાલીનને રૅશનાલીસ્ટ ગણવો- એ ભારે હાસ્યાસ્પદ જુઠાણું છે. મીત્ર, નાસ્તીકતા અર્થાત્ કેવળ ઈશ્વરનો ઈન્કાર એ રૅશનાલીઝમ નથી. રૅશનાલીસ્ટ અચુક નીરીશ્વરવાદી હોય; પણ બધા જ નાસ્તીકો રૅશનાલીસ્ટો નથી હોતા. રૅશનાલીઝમ એટલે તો વીવેકબુદ્ધીવાદ, જ્યારે સ્તાલીન કે માઓનાં અનેક ઘોર દુષ્કૃત્યોમાં કોઈ વીવેકદૃષ્ટી, સારાસારનું, ઉચીત- અનુચીતનું ભાન વરતાતું નથી, હતું જ નહીં; કારણ એની પાછળ સામ્યવાદનું ઝનુન જ પ્રેરકબળ હતું. આ બાબતમાં બર્ટ્રાન્ડ રસેલે  બહુ સચોટ તથા સત્યમુલક દલીલ કરી છે; તે કહે છે, સોવીયેત રશીયાએ પોતાને ત્યાંથી ચાલુ ધર્મને હાંકી કાઢ્યો, પરંતુ ત્યાં જ આજે સામ્યવાદ એક નવો ધર્મ બની ગયો છે ! આમ, સ્તાલીન-માઓનાં હત્યારા ઝનુનને ‘ધાર્મીક ઝનુન’ જ લેખાવી શકય. એની  સાથે રૅશનાલીઝમને કોઈ જ સંબંધ નથી.

 

ખરેખર તો, આવી વાહીયાત, અતાર્કીક દલીલોથી કશું જ સીદ્ધ થતું નથી, સીવાય કે ભોળા અને અજ્ઞાન જનોને છેતરી શકાય છે, જે આસ્તીકોનો માનભર્યો ધંધો છે. બાકી કોઈ પણ ઝનુની સરમુખત્યારના રાજકીય-વૈચારીક હત્યાકાંડમાં આસ્તીકતા-નાસ્તીકતાનો મુદ્દો લેશમાત્ર સંડોવાયલો હોતો જ નથી: જેમ કે નાસ્તીક એવા સ્તાલીન-માઓએ કત્લ-એ-આમ ચલાવી, તો એ જ રીતે પાકા ઈશ્વરપરસ્ત આસ્તીક માંધાતાઓએ પણ એવી જ ઘોર માનવ કતલ ચલાવી છે. દા.ત. નાદીરશાહે જ્યારે દીલ્હીમાં ક્ત્લ-એ-આમ ફરમાવી, ત્યારે તે પાક મુસલમાન જ હતો. હીટલર પણ ખ્રીસ્તી ધર્મમાં માનનાર આસ્તીક એવો હત્યારો સરમુખત્યાર હતો; જેણે લાખો યહુદીઓને ભાજીમુળાની જેમ વાઢી નાંખ્યા… ઈસ્વીસનની શરુઆતની સદીઓમાં ભારતવર્ષમાં બૌદ્ધોની કતલ કરવાની એક મોટી ઝુંબેશ (ધર્મયુદ્ધ) આદરવામાં આવેલી. સનાતની આર્ય બ્રાહ્મણ ધર્મે, બૌદ્ધોને મારી મારીને યા મારી નાખીને ભારતમાંથી ભગાડ્યા, સદંતર કાઢ્યા. સમ્રાટ અશોક પછી થયેલા શૈવધર્મી રાજા પુષ્યમીત્ર શુંગે (યા અન્ય કોઈ એવા રાજવીએ) એવી ઘોષણા કરેલી કે, એક બૌદ્ધ સાધુનું કાપેલું મસ્તક લઈને દરબારમાં આવનારને સો સોનામહોરોનું ઈનામ આપવામાં આવશે… આ રીતે તથા અન્યથા દસ હજાર બૌદ્ધ સાધુઓની કતલ કરવામાં આવી.

 

એક મીત્રે વળી ભગવાન ઈસુના પ્રેમધર્મનો મહીમા, ધર્મની મહત્ત્તા, ગુણવત્ત્તા અને આવશ્યક્તારુપે  ટાંક્યો. ત્યારે મંડળીમાંથી અન્ય એક રૅશનાલીસ્ટ મીત્રે ઈતીહાસ ટાંકતા જણાવ્યું કે, 18મી-19મી સદીમાં એકલા યુરોપમાં જ, એક-એક લાખ સ્ત્રીઓને ડાકણ ઠરાવીને ધર્મ-અદાલતે જીવતી સળગાવી દીધી હતી. એ ઉપરાંત, અમુક-તમુકના દેહમાં સેતાન પ્રવેશ્યો છે; જેથી તે ધર્મવીરોધી વાત કે વર્તાવ કરે છે; એવા આક્ષેપ સાથે એવા ‘પાપી’ પુરુષોને પણ જીવતા જલાવી દેવામાં આવતા. દા. ત. પૃથ્વી ગોળ છે અને સુર્ય ફરતે ફરે છે, એવું સત્ય પ્રતીપાદીત કરવા બદલ  બ્રુનોને જીવતો સળગાવી માર્યો; જ્યારે ગેલેલીયો પર અમાનુષી જુલમ ગુજારવામાં આવ્યો. માટે જ જીવતી જલાવી દેવામાં આવેલી ફ્રાન્સની વીરાંગના જ્હોન ઓફ આર્કે અંતીમકાળે પોકારેલું કે, ‘હે પ્રભુ, આ બધું ક્યાં સુધી ?’ અમે રૅશનાલીસ્ટો પણ અહીં-ઉદગાર કાઢીએ છે કે ધર્મ અને ઈશ્વરને નામે આટઆટલા અત્યાચારો ક્યાં સુધી ? ભારત દેશના તો વળી ધર્મને નામે જ ભાગલા પડ્યા અને ત્યારે ઈતીહાસમાં અભુતપુર્વ એવાં કત્લેઆમ તથા અત્યાચારો ગુજર્યાં… અને આજનો આ આતંકવાદ પણ વળી શું છે ?

 

રૅશનાલીસ્ટ વ્યક્તી પ્રેમભાવ વીહોણી, લાગણીશુન્ય હોય છે, એવો પણ એક કુપ્રચાર બદઈરાદાથી જોરદાર ચલાવાય છે. હકીકતે તો, રૅશનાલીઝમનો પ્રધાન ગુણધર્મ જ માનવતા છે, એટલે  તમામ માનવીય સંવેદનોનું એમાં સ્વીકૃત સ્થાન છે જ. પરીણામે આસ્તીકોની જેમ જ, રૅશનાલીસ્ટોમાં પણ પ્રકૃતી વૈવીધ્ય, સ્વભાવભેદ સ્વાભાવીક જ પ્રવર્તે: કોઈ લાગણીભીનો, ઋજુ હૃદયનો કોમળ જન હોય, તો બીજો વળી કઠોર, મક્કમ, મજબુત મનનો રૅશનાલીસ્ટ પણ હોઈ શકે, ઈત્યાદી. સાવ અક્કલ વીનાની વાત તો એક સભ્યે એવી કરી કે, રૅશનાલીસ્ટ પોતાનાં સંતાન પ્રતી વાત્સલ્ય-પ્રેમ પુરો દર્શાવી શકે, સેવી શકે?

 

અરે, પ્યારા મીત્ર, જનનીનાં પ્રેમ-લાગણી એ તો પ્રાણી માત્રમાં નૈસર્ગીક વૃત્ત્તીભાવ છે. એમાં વળી શ્રદ્ધા ક્યાંથી આવી ? સ્થળ-સંકોચવશ ચર્ચા નથી કરતો, પણ વાત્સલ્ય, સ્નેહ તથા લાગણીથી સંતાનો માટે મરી ફીટવા તત્પર એવી રૅશનાલીસ્ટ માતાની હું તમને રુબરુ મુલાકાત કરાવી શકું, મારું ભાવભીનું નીમંત્રણ છે ! એ જ રીતે, દુર કે જુદાં વસતાં સંતાનોનો નામોચ્ચાર માત્ર કાને પડતાં જ જેની આંખો પ્રેમાશ્રુથી ઉભરાઈ જાય છે, અને જેણે સંતાનોના હીત ખાતર સ્વેચ્છાએ જ ચુપચાપ અનેકવીધ ભોગ આપ્યા છે અને હસતે મોંએ મુશ્કેલીઓ વેઠી છે; એવા એક રૅશનાલીસ્ટ વૃદ્ધની મુલાકાત પણ હું તમને કરાવી શકું, તો આવજો !



ભરતવાક્ય:

પ્રેમ તથા જ્ઞાને મને ઉંચે ગગનવીહાર કરાવ્યો છે; જ્યારે દયા-કરુણા હંમેશાં મને પાછો પૃથ્વી પર ખેંચી લાવી છે. સરમુખત્યારોના અત્યાચારોનો ભોગ બનતા માનવીઓના; એકાકી વૃદ્ધોના અને દુ:ખીયારાં બાળકોના વેદનાભર્યા આર્તનાદો મને સંભળાય છે. હું તેઓની પીડા દુર કરવા ઝંખું છું, પણ એ મારા ગજા બહારનું કાર્ય છે, અને એથી હું પણ દુ:ખી છું…  બર્ટ્રાન્ડ રસેલ

(વીશ્વના ઉત્ત્તમોત્ત્તમ રૅશનાલીસ્ટ એવા બર્ટ્રાન્ડ રસેલના ઋજુ હૈયાની માનવીય કરુણાનો આ આર્તનાદ છે; જે તેમની આત્મકથામાંથી, અત્રે કેવળ સ્મૃતી આધારે ટાંક્યો છે. જો કે ઘણા ખરા શબ્દો સહીત મુળનો ભાવાર્થ બરાબર આ પ્રમાણે છે….ર.પા.) 

-પ્રા. રમણ પાઠક

તા. 6 ફેબ્રુઆરી, 2010ના સુરતના ગુજરાત મીત્ર’ દૈનીકમાં પ્રકાશીત થયેલી લેખકની કટાર રમણભ્રમણ’માંથી, લેખક અને ગુજરાત મીત્ર’ના સૌજન્યથી સાભાર..


મારો ધર્મ કયો કહેવાય…?

 

ડૉ. ડેવિડ ફૉલી હીન્દુસ્તાનના ઈતીહાસના અભ્યાસુ–નીષ્ણાત છે. તેમણે કહ્યું છે- ‘અમેરીકા અને જાપાન એટલા માટે સમૃદ્ધ છે કે ત્યાં ધર્મ સંપ્રદાયના કોઈ વાડા નથી. જેણે જે ધર્મ પાળવો હોય તે પાળી શકે. મલેશીયા અને પાકીસ્તાનમાં અઢળક કુદરતી સંપત્ત્તી છે. પણ એ દેશો ગરીબ રહ્યાં; કારણ કે એ દેશોમાં ધર્મની બોલબાલા રહી છે. મલેશીયામાં હીન્દુ કે ખ્રીસ્તી નાગરીક મુસ્લીમ બની શકે; પણ  ઈસ્લામી નાગરીક ધર્મપરીવર્તન કરીને હીન્દુ કે ખ્રીસ્તી ન બની શકે. ઈસ્લામમાંથી ધર્મપરીવર્તન કરનારને દેહાંતદંડની સજા થાય છે. એ સમ્બન્ધે  એક ચોંકાવનારો કીસ્સો ઘૃણા ઉપજાવે એવો છે. 1998માં મલેશીયામાં જન્મેલી મુળ મલય જાતીની મુસ્લીમ છોકરી (નામ એનું લીના જૉય) ધર્મપરીવર્તન કરીને ખ્રીસ્તી બની. તે રોમન કેથલીક યુવકને પરણવા માંગતી હતી. એથી તેના આઈડેન્ટીટીકાર્ડમાંથી ઈસ્લામ ધર્મ કાઢી નાખવા માંગતી હતી. બસ આટલી બાબતનો ગુનો ગણીને ઈસ્લામીક શેરીયા કૉર્ટે બેવફા જાહેર કરીને તેને દેહાંતદંડની સજા ફરમાવી ! (આજ પર્યંત લીના જૉયે જીવ બચાવવા સંતાતા ફરવું પડે છે.)’

 

મને કદી સમજાયું નથી ધર્મ સુખને બદલે દુ:ખનું કારણ શા માટે બનવો જોઈએ ? માણસે કષ્ટ સહન કરવા કે દુ:ખી થવા ધર્મ પાળવો જોઈએ એવું કયા ધર્મગ્રંથમાં લખ્યું છે ? ભુખ લાગે તો રોટી ખાવી એ જીવન છે. અને કોઈ ભુખ્યો આવે તો તેને અડધામાંથી અડધી રોટી આપવી એ ધર્મ છે. તરસ લાગે તો કુવો ખોદવો એ જીવન છે અને તરસ્યાને માટે પરબ માંડવી એ ધર્મ છે.

 

ચર્ચા ચાલતી હતી ત્યાં એક મીત્રે કહ્યું- ‘હું કયો ધર્મ પાળું છું તેની મને ખબર નથી. હું મંદીર, મસ્જીદ કે ગીરજાઘરમાં જતો નથી. ભુખ લાગે ત્યારે ખોરાક ખાઉં છું; કોઈનું ભેજુ ખાતો નથી. તરસ લાગે ત્યારે પાણી પીઉ છું; કોઈનું લોહી પીતો નથી. મંદીરમાં જવાને બદલે કોઈ સાહીત્યકારની શીબીરમાં જવાનું મને વધુ ગમે છે. મંદીરમાં ગવાતાં ભજનોમાં બેસવા કરતાં સાહીત્ય ગોષ્ઠીમાં બેસવાનું મને ગમે છે. શીરડી પગપાળા યાત્રા કરીને સાંઈબાબાને રીઝવવા કરતાં ઘરડાં માબાપની સેવા કરવાનું મને ગમે છે.  

 

ઘરમાં સાગનું નાનું મંદીરીયુ છે. તેમાં કયા દેવ છે તેની મને ખબર નથી. પત્ની રોજ પુજા કરે છે. હું નથી કરતો. પત્નીએ મારી ધર્મવીમુખતા સ્વીકારી લીધી છે. હું પણ તેના ગમાઅણગમાનો ખ્યાલ રાખું છું.’ (તે ઘરમાં પોતું મારે છે ત્યારે તે સુકાય નહીં ત્યાં સુધી હું ત્યાં ‘પગલાં’ ન પડે તેનું ધ્યાન રાખું છું) એથી અમારી વચ્ચે ઝઘડા થતા નથી. એને કંટોલાંનું શાક બહુ ભાવે છે. મને બીલકુલ ભાવતું નથી. પણ હું બજારમાંથી ખાસ તેને માટે કંટોલાં (મોંઘાં મળે તો પણ) ખરીદી લાવું છું. મને કારેલાંનું શાક ખાસ ભાવે  છે. તેને ભાવતું નથી. હું કદી તેને આગ્રહ કરતો નથી. અમારા સહજીવનમાં કંટોલાં–કારેલાં જેવી ઘણી અસમાનતા છે. પણ અમે અનુકુલન સાધીને જીવીએ છીએ. એ ધર્મ પાળે છે; છતાં થોડીક સમજદારીથી સુખી દામ્પત્ય જીવન વીતાવીએ છીએ. દામ્પત્ય જીવનમાં અનુકુલનને હું પ્રેમ કરતાં પણ ઉંચી સગાઈ ગણું છું. સુખી સંસાર માટે પ્રેમ કરતાં પણ અનુકુલન વધુ જરુરી છે !

 

‘ઘણા લોકો ભગવાનનો ફોટો, મુર્તી, મંદીર વગેરે રોજ ઘસીઘસીને સાફ કરે છે; પણ જમ્યા પછી દાંત સાફ નથી કરતા. રોજ ગીતાના અધ્યાયોનું પોપટ–રટણ કરે છે; પણ અખબારો કે પુસ્તકો નથી વાંચતા. રામાયણ ભક્તીભાવે વાંચે છે; પણ રોજ દશ કલાક ધંધામાં પાપનાં પારાયણમાં બેસી લુંટાલુંટ ચલાવે છે. ગલ્લા પર થતી ખુલ્લેઆમ નફાખોરી, કોમી રમખાણોમાં થતી છરાભોંકથી ઓછી ખતરનાક નથી. ધર્મપુસ્તકનો રોજ એક અધ્યાય વાંચો એટલે દીવસભરનાં પાપો ધોવાય જાય એવું હું માનતો નથી. મંદીરને બદલે લાયબ્રેરી જાઉં છું. ધર્મપુસ્તકોને બદલે મહાન માણસોના જીવનચરીત્ર વાંચુ છું. આજ પર્યન્ત ઘરમાં એક પણ વાર કથાકીર્તન, ભજન, યજ્ઞો કે પુજાપાઠ… કશું જ કરાવ્યું નથી. પણ મરણ બાદ દેહદાન અને નેત્રદાનનું ફોર્મ ભર્યું છે. રક્તદાન કરવાની ખાસ ટેવ છે. સાધુ, સંતો કે બાબા-ગુરુઓનાં ચરણોમાં પડતો નથી; પણ મોટા કવી, લેખકો, સાહીત્યકારો કે ચીન્તકો જોડે મૈત્રી કેળવી છે. સાધુ સંતોને દાન પુણ્ય કરવાને બદલે દર વર્ષે એકાદ બે ગરીબ વીદ્યાર્થીને પુસ્તકો, ફી વગેરેમાં મદદ કરું છું. રથયાત્રામાં જોડાતો નથી; પણ રોજ સવારે પદયાત્રા (મોર્નીંગવૉક) કરું છું. કુંભમેળામાં કદી ગયો નથી અને જવાની ઈચ્છા પણ નથી. પણ વીજ્ઞાનમેળો કે પુસ્તક્મેળો એક પણ છોડતો નથી. ગંગાનાં ગંદાં પાણીમાં નહાવાને બદલે બાથરુમમાં સ્વચ્છ પાણીના શાવર વડે સ્નાન કરવાની વાતને હું વધુ પવીત્ર ગણું છું.  આવું બધું કરનારાઓનો ઘર્મ કયો કહેવાય તેની મને ખબર નથી. પણ હજી સુધી એક પણ વાર એવો વીચાર આવ્યો નથી કે હું ઈશ્વરને નથી ભજતો, મંદીરમાં નથી જતો, દાન નથી કરતો, તેથી મર્યા બાદ સ્વર્ગમાં ન જવાશે કે કહેવાતો મોક્ષ ન મળશે તો મારું શું થશે..!’

 

મીત્રની આ લાંબી વાતમાં એક વાત મને ખાસ ગમી. મને એ મારા જ જીવનની વાત લાગી. હું લખતાં લખતાં બેધ્યાનપણે કોઈ પુસ્તક ગોતવા કબાટ તરફ આગળ વધું કે તરત શબ્દો સંભળાય- ‘કેટલી વાર કહ્યું કે પોતું માર્યું હોય ત્યારે સુકાય નહીં ત્યાં સુધી પગલાં પાડવાં નહીં !’ જોવા જઈએ તો આ ‘પગલાં’  શબ્દમાં સઘળા ધર્મો અને ગીતા-ઉપનીષદનો સાર સમાઈ જાય છે. આપણી વાજબી જરુરીયાત પણ આપણે એ રીતે ન સંતોષવી જોઈએ કે બીજાને અગવડ થાય. કોઈને ખપમાં ન આવીએ તો ભલે પણ કોઈને માટે લપ ન બની રહીએ તે જરુરી છે. દુનીયાના સઘળા મનુષ્યો સુખ માટે સ્વકેન્દ્રી અને સ્વાર્થી બની રહેવાને બદલે, પારકાનાં સુખનો પણ ખ્યાલ રાખે તો સઘળાં ધર્મપુસ્તકો અપ્રસ્તુત બની જાય. રાવણ બનવાથી બચી જાઓ તો રામાયણ ન વાંચો તો ચાલે. જીવનમાં ડગલે ને પગલે દુર્યોધન, શકુની કે ધૃતરાષ્ટ્ર બની રહો, પછી રોજ મહાભારત વાંચો તોય શો ફાયદો ? યાદ રહે, તમને તમારા જીવનના અનુભવોમાંથી પ્રાપ્ત થયેલાં સત્યો ગીતા–કુરાનનું જ ફળકથન ન હોય છે. શ્રી શાયર દેવદાસ અમીરે કહ્યું છે- ‘છોડ ગીતા, કુરાન અને બાયબલ… અસલી પાઠ તો એ છે જે જમાનો શીખવે છે !’

 

પૃથ્વીલોકમાં માણસનું અવતરણ જે કારણે થયું હોય તે પણ એટલું નક્કી કે એની આંખમાંથી ક્યારેક આંસુ ટપકે છે. એ આંસુને તમારી હથેળી વડે લુછો એ બાબત ધર્મ ન ગણાતી હોય તો પણ શું નુકસાન છે ? તરસની જેમ દુ:ખ  સર્વવ્યાપી  સ્થીતી છે. આપણે મંદીર ન બંધાવી શકીએ પણ મંદીર બહાર બેસતા ભીખારીઓમાંથી કો’ક એકના પેટની આગ ઠારીએ તો ઘણું. રોડ અકસ્માતમાં માણસો ઘવાયા હોય ત્યારે આજ પર્યન્ત એક પણ વાર (રીપીટ એક પણ વાર…) એવું બન્યું નથી કે તેને મદદ કરવા દોડી જનારા માણસોએ તેમને  એમ પુછ્યું હોય કે- ‘તમે હીન્દુ છો કે મુસ્લીમ… ?’ હીન્દુ મુસ્લીમ યુવક યુવતીની આંખ મળી જાય અને બન્નેનાં હૈયામાં ઉર્મીના અવર્ણનીય હીલ્લોળ જાગે  છે એને હીન્દુ પ્રેમ અને મુસ્લીમ પ્રેમમાં વહેંચી શકાશે ખરો ? યાદ રાખજો, સમગ્ર સૃષ્ટીના માણસો કન્સીલ્ડ વાયરીંગની જેમ પરસ્પર   પ્રાકૃતીક રીતે સંકળાયેલા છે. સૌનાં આંસુ સરખાં છે. સૌનાં આનંદ સરખા છે. સૌની દેહરચના કે જન્મ અને મૃત્યુ સરખાં છે. ત્યાં સુધી કે તેમના લોહીનો રંગ પણ (ઈસ્લામી રંગ કે હીન્દુ રંગમાં) વીભાજીત થયેલો નથી. તો માણસ માણસ વચ્ચે ન્યાત-જાત અને ધર્મ-કોમની મૅનમેઈડ દીવાલ શા માટે હોવી જોઈએ ?

 

દરેક માણસને પોતાનો (ગેટ–પાસ જેવો) ધર્મ હોય છે. આખી જીન્દગી એ માણસ ધર્મનો બીલ્લો છાતીએ ચીપકાવીને ફરે છે. પણ કબરમાં કે સ્મશાનમાં એ બીલ્લાની કોઈ મહત્ત્તા નથી. મંદીર બહાર બુટ ઉતારી દેવા પડે તે રીતે, ચીતા પર કે કબરમાં જતાં પહેલાં એ બીલ્લો કાઢી નાખવો પડે છે. મૃત્યુ આગળ હીન્દુ, મુસ્લીમ કે ધર્મ કોમના ભેદ ભુંસાઈ જાય છે. આટલું સમજાઈ ગયા પછી સમજાશે કે વીશ્વમાં માનવ ધર્મથી ચઢીયાતો ધર્મ બીજો એકે નથી.




ધુપછાંવ

રોજ અલ્લાહ કો યાદ કર….. પર કીસીકો બરબાદ ના કર

તેરી કબર ભી તૈયાર હૈ ઈસ બાત કો નજરઅંદાઝ ના કર

-દીનેશ પાંચાલ

અક્ષરાંકનગોવીન્દ મારુ

વર્ષગાંઠ (20-05)


1 ) ગાંધી શ્વેતા બિપીન મનસુખલાલ
2 ) મેહતા જ્યોતિ મિલન કાન્તિલાલ
3 ) મેહતા રિધ્ધિ અજીત પ્રવીણચંદ્ર
4 ) મેહતા દેવાંશુ વિપુલ નવીનચંદ્ર
5 ) સંઘવી લતા ચિમનલાલ પ્રાણજીવન
6 ) શાહ શૈલી જ઼યેન રમેશ

Saturday, May 19, 2012

વર્ષગાંઠ (19-05)


1 ) દોશી ઈશીતા મૂકેશ દલીચંદ
2 ) દોશી વત્સલ કેતન રજનીકાન્ત ચતુરદાસ
3 ) ગાર્ડી નીલા કિશોર પ્રભુલાલ
4 ) ખંડોર રોમીક દીપક હિમ્મતલાલ
5 ) મેહતા શ્રેયાંશ કિશોર જયંતિલાલ
6 ) પારેખ જગદીશ કાન્તિલાલ
7 ) પારેખ વર્ષા અનીલ જયંતિલાલ
8 ) સપાણી આરનવ નીરવ મહેન્દ્ર
9 ) શાહ ઉર્મિ જ઼િગ્નેશ અરવિંદ માણેકલાલ
10) શાહ રંજન ભરત રજનીકાન્ત
11) શાહ પ્રિયાંક જયેશ ચંદુલાલ
12) શાહ ઉપાંશુ સમીર અનંતરાય ભોગીલાલ
13) શાહ ખુશી સંજય જયેન્દ્ર કાન્તિલાલ
14) શેઠ સાગર દેવેન્દ્ર ચંદ્રકાન્ત
15) શેઠ ઉન્નતિ અશોક છોટાલાલ

Friday, May 18, 2012

નેતાઓની નીષ્ક્રીયતા વચ્ચે ઉદ્ ભવેલું અન્ધશ્રદ્ધાનું અભ્યારણ્ય

      સમાજમાં બહુધા એવું જોવા મળે છે કે એક છત તળે રહેતા વૃદ્ધો અને યુવાનો વચ્ચે મોટો જનરેશનગેપ રહેતો હોય છે. વૃદ્ધોને જલારામબાપાની કૅસેટ સાંભળવી ગમે છે. યુવાનો માઈકલ જૅક્સનનું પોપમ્યુઝીક સાંભળે છે. યુવાનો ક્યારેક વૃદ્ધોને પીત્ઝા કે બર્ગર ખવડાવે છે; પણ તેમને પાલકના પુડામાં જે મઝા આવે છે તે પીત્ઝામાં નથી આવતી. (બર્ગર–બગરુવાળો રોટલો તેમને વધુ ભાવે છે) બે પેઢી વચ્ચેનું અંતર છેક કૃષ્ણ અને યશોદાના જમાનાથી ચાલ્યું આવે છે. કૃષ્ણ માખણ ખાતા. આજે કૉલેજ–કનૈયાઓના મુખમાં માખણ નહીં; માણેકચંદ હોય છે. કૃષ્ણ ગોપીઓની માત્ર મટકી ફોડતા. આજે યુવાનો ગર્લફ્રેન્ડના ચક્કરમાં માથાં ફોડે છે. તેઓ છોકરીને કૉલેજમાંથી ક્લબમાં લઈ જાય છે, દારુ પાય છે અને શીયળ લુંટીને જ નથી અટકતા; તેની વીડીયો ક્લીપીંગ ઉતારીને મોબાઈલ પર ફરતી કરે છે. કૃષ્ણે કાળીનાગને બાહુબળથી નાથ્યો હતો. આજે યુવાનો બાપના પૈસે પેપરસેટરને નાથે છે. કૃષ્ણના જમાનામાં ટાઈ–ડે નહોતો ઉજવાતો– ગુરુકુળમાં અહર્નીશ જ્ઞાનદીન ઉજવાતો. આજે ‘સારી–ડે’… ‘રોઝ–ડે’… ‘જીન્સ–ડે’… વગેરે ઉજવાય છે. બધું જ બદલાઈ ગયું છે; પણ  ગમે કે ન ગમે તોય સમયનાં પરીવર્તનોને સૌએ સ્વીકારવાં પડે છે.
     નવી પેઢી કેવાં કપડાં પહેરે, કેવી હેરસ્ટાઈલ રાખે અથવા કઈ હૉટલમાં જમે તેની ચીન્તા વૃદ્ધોએ કરવી જોઈએ નહીં.  એમાં એટલું ઉમેરવું છે કે ભલે થોડું બદલાયું હોય પણ સરવાળે તો યુવાપેઢીનું સંસ્કારી સ્વરુપ જ સમાજને પણ સ્વીકાર્ય હોય છે. હું ઘડપણમાં મને મળતા દાળ–રોટી સાથે જ નીસબત રાખું અને મારા દીકરાની અંગત જીવનશૈલી કે દીનચર્યામાં માથું ન મારું ત્યાં સુધી તો ઠીક છે; પરન્તુ ધારો કે દીકરો ડ્રગ્સનો ધંધો કરતો હોય, આતંકવાદીઓ, સ્મગલરો કે ગેંગસ્ટરો સાથે મળેલો હોય અને ખુનખરાબા જેવી બીજી અનેક ગુનાઈત પ્રવૃત્તી કરતો હોય તો મારે તેનો જરુર વીરોધ કરવો જોઈએ. તે ભલે મને સોનાના પાટલે બેસાડીને ચાંદીની થાળીમાં જમાડતો હોય; પણ મારા ભાણામાં પીરસાતી પ્રત્યેક રોટલી અસામાજીક ધંધો કરીને મેળવાતી હોય તો મારે ચુપ ન બેસવું જોઈએ. જો હું એમ કહીને હાથ ઉંચા કરી દઉં કે ‘દીકરો જુવાન થયો છે. એણે કેમ જીવવું તે એની અંગત બાબત છે. મારાથી તેમાં માથુ ન મરાય…’ તો એ બહુ મોટો વડીલદ્રોહ ગણાય.
      દોસ્તો, વર્ષોથી આપણા નેતાઓ લોકોને ‘માઈબાપ’ ગણતા રહ્યા છે; પણ તેઓ ખુદ બગડેલા દીકરા જેવી ભુમીકા ભજવતા આવ્યા છે. એ સંજોગોમાં ‘માઈબાપ’ની એ ફરજ છે કે દીકરાઓના કાન આમળી તેમને પાછા વાળવા. આપણા નેતાઓ અનીતી આચરવાની કે ભ્રષ્ટાચાર કરવાની એકે તક છોડતા નથી; પરન્તુ તે સર્વમાં એક અક્ષમ્ય ભુલ એ છે કે તેઓ ઘોર અન્ધશ્રદ્ધામાં રાચતી આપણી પ્રજાની અબૌદ્ધીક જીવનશૈલીને એમ કહીને નજરઅંદાજ કરે છે કે ‘ધર્મ અને શ્રદ્ધા એ પ્રજાનો અંગત વીષય છે. એમાં રાજકારણની ડખલ ઉચીત નથી.’ નેતાઓના એવા સ્વાર્થી પલાયનવાદને કારણે ગુજરાતમાં તરેહતરેહની અન્ધશ્રદ્ધા, વહેમ, કુરીવાજો પ્રવર્તે છે. અન્ધશ્રદ્ધા એક ઉદ્યોગ બની ગઈ છે. હા, કોણે કયો ધર્મ પાળવો અથવા ઈશ્વરમાં માનવું કે નહીં, તે જરુર અંગત બાબત ગણાય; પણ સમાજમાં ચોમેર અન્ધશ્રદ્ધાઓનું સામ્રાજ્ય છવાયેલું છે તેનું શું ?. નેતાઓના નાક નીચે એ બધું બેરોકટોક ચાલે છે; પણ તેઓ એ અનીષ્ટો તરફ આંખ આડા કાન કરે છે. એ લાપરવાહી ખાસ્સી ગુનાઈત છે. લોકોનું બૌદ્ધીક સ્તર જેટલું નીચું કે અવીકસીત રહેશે, તેટલો રાષ્ટ્રનો વીકાસ ઓછો થશે. ભગતભુવા, મેલીવીદ્યા, જ્યોતીષ કે ભુતપ્રેત જેવા વહેમને કારણે માણસની નજર હમ્મેશાં સીન્દુરીયા રંગે રંગાયેલા પથરા પર જ મંડાયેલી રહે છે.
      એક નજર આપણી અન્ધશ્રદ્ધાઓની અનુક્રમણીકા પર કરી લઈએ. હૉસ્પીટલો કે ડૉક્ટરોના ક્લીનીકની બારસાખે લીંબુ અને મરચું લટકતાં જોવા મળે છે. તાન્ત્રીકો મૃતાત્માઓ સાથે વાતો કરવાનો ને કરાવી આપવાનો દાવો કરે છે. કેટલાક માનસીક રોગો એવા હોય છે કે તેમાં માણસ ગાંડા જેવી વીચીત્ર હરકતો કરે છે. સાઈકીયાટ્રીસ્ટોની સારવારથી એવા રોગો સાજા થઈ શકે છે; પણ તેને પ્રેતાત્માનો વળગાડ સમજી લોકો કેવા કેવા તમાશા કરે છે તે તો જુઓ ! દરદીને પીર કે દરગાહે લઈ જઈને સાંકળથી મારવામાં આવે છે. જુતાં બોળેલું પાણી પીવડાવવામાં આવે છે. દેહ પર ડામ મુકવામાં આવે છે. દરદીના મોંમા મળ સુધ્ધાં મુકવામાં આવે છે. ગામડાઓમાં સગો દીકરો માને ડાકણ સમજી મારી નાખે છે. મેલી વીદ્યા હાંસલ કરવા દેવને બલી ચઢાવવા સગો બાપ દીકરાનું માથુ કાપી નાખે છે.
     કમળો ઉંજાવવાથી સાજો થઈ શકે એવી વ્યાપક માન્યતા ફેલાયેલી છે. ગામડામાં સાપ કરડે ત્યારે માણસને હૉસ્પીટલને બદલે ભગત પાસે લઈ જનારાઓની સંખ્યા મોટી છે. કમ્પ્યુટરથી જ્યોતીષ જોઈ આપનારાઓનો ધંધો ધમધોકાર ચાલે છે. માનેલી માનતા પુરી કરવા લોકો ઉંધા પગે પાવાગઢ જાય છે. વચ્ચે વળી મોટા પાયા પર એવી અફવા આવી હતી કે બહેને બાંધેલી રાખડી ભાઈ છોડીને ફેંકી નહીં દે તો તેનું મૃત્યુ થશે.
      યાદ કરો કેટલાંક વર્ષો પર ગણેશજીએ દુધ પીધું હતું. લોકો નાનાં છોકરાંઓનાં મોઢાંમાંથી  દુધની બાટલી છીનવી ગણેશજીના મન્દીરે દોડતા હતા ત્યારે અમારા બચુભાઈ બધાને ગાજીબજાવીને કહેતા હતા કે, ‘પથ્થરની મુર્તીમાં કેશાકર્ષણ થવાથી તેમાં દુધ શોષાઈ જાય છે. તમારામાં તાકાત હોય તો ચાંદીની કે પીત્તળની મુર્તીને દુધ પાઈ બતાવો ?’ પણ કોણ સાંભળે ? વચ્ચે શંકરની મુર્તી આપમેળે ખસ્યાની વાત આવી હતી. કોઈ ઠેકાણે વળી ભેંસને બાળકી જનમ્યાની વાત વહેતી થઈ હતી. હનુમાનજીની આંખોમાંથી આંસુઓ ટપકતા હોવાનું પણ સાંભળવા મળેલું. આરતી ટાણે મન્દીરમાં ઝુમ્મર હાલ્યાની વાત તો ખાસ્સી ચગી હતી. આજે પણ છાસવારે છાપાંઓમાં છપાય છે : ‘વેંગણમાં ‘ૐ’ દેખાયો અથવા શંકરજીના મન્દીરમાં નાગસાપ દેખાયો’ અને આખું ગામ હાથમાં પુજાની થાળી લઈને દોડ્યું ! વાસ્તુશાસ્ત્રના નામે લોકોનાં ઘરો તોડાવવાનો વ્યવસ્થીત વેપાર ચાલે છે. કથા, યજ્ઞો કે ગણેશોત્સવની ઉજવણી માટે ગામડામાં યુવાનોનું મોટું ટોળું બીલબુક છપાવીને રસ્તે જતાં લોકોને આંતરીને નાણાં ઉધરાવે છે. અમદાવાદમાં આષાઢી બીજને દીવસે નીકળતી પ્રચંડ રથયાત્રામાં દર વર્ષે થોડાક લોકો ભાગદોડમાં કચડાઈ મરે છે. તે ઉઘાડે છોગે થતાં મરણની સરકારને ચીન્તા નથી અને ફરજીયાત હેલ્મેટ પહેરવાનો કાયદો ઠોકી બેસાડી સરકારે ગત વર્ષ પુરા બે કરોડથીય વધુ દંડ વસુલ કર્યો. બોલો, સરકાર પાસે છે કોઈ જવાબ ? (સરકારનો અધોષીત જવાબ કંઈક એવો હોઈ શકે: ‘અમે અહીં દેશની પ્રજાને સુધારવા થોડા બેઠા છીએ ? પ્રજા સુધરી જશે તો અમારી ચામડી ઉતરી જશે…! અમે તો એટલું જ ઈચ્છીએ છીએ કે પ્રજા ધર્મ, શ્રદ્ધા કે ભક્તીના નામે અન્ધશ્રદ્ધામાં ચકચુર રહે અને અમારી તીજોરી તર થતી રહે !’)  

ધુપછાંવ

પ્રત્યેક નેતા ‘જયહીન્દ’… ‘ભારત માતાકી જે’…
‘જય જવાન જય કીસાન’… વગેરે બોલે છે
પણ તેમના દીલમાં અસલી નારો તો એક ગુંજે છે:
‘પ્રજા ભલે અન્ધશ્રદ્ધામાં રાચતી રહે…
અમારી ખુરશી હમ્મેશાં સચવાતી રહે… !’.

-દીનેશ પાંચાલ

અક્ષરાંકન:  ગોવીન્દ મારુ

વર્ષગાંઠ (18-05)


1 ) લોદરિયા હેમલ રવિચંદ
2 ) મેહતા કમલેશ શશીકાન્ત પ્રાણજીવનદાસ
3 ) મેહતા નિશા વિપુલ પ્રદ્યુતલાલ હિમ્મતલાલ
4 ) મેહતા પ્રીતિશ શ્રેણીક નવીનચંદ્ર
5 ) પારેખ ધર્મીશ્ઠા અશ્વિન નરભેરામ
6 ) સંઘવી દિશા જિગર શાહ
7 ) સંઘવી વિજય જવેરચંદ
8 ) શાહ રૂપલ દિનેશ ગુલાબચંદ
9 ) શાહ કેવિન સંદેશ અનંતરાય
10) શેઠ પુષ્પા પ્રવીણચંદ્ર હેમતલાલ

Thursday, May 17, 2012

મૃત્યું

 
વાંકાનેર હાલ સાંતાક્રુઝ સ્વ. પોપટલાલ લીલાધર દોશીના પુત્ર ખુશાલચંદ (ઉં. વ. ૮૩), રવિવાર, ૧૩-૫-’૧૨ના અરિહંતશરણ પામેલ છે. સુશીલાબેનના પતિ. નીલેશ, સૌ. સ્મિતા જયેશ દફતરી, સૌ. સોનલ ગૌતમ શાહના પિતાશ્રી. સૌ. લલિતા જુગલકિશોર સપાણીના ભાઈ. તે ભગવાનજી ભાઈચંદ સંઘવીના જમાઈ. પ્રાર્થનાસભા ગુરુવાર, ૧૭-૫-’૧૨ના ૫ થી ૬-૩૦. સ્થળઃ હિરાવતી હોલ, સ્ત્રીમંડળ, ટાગોર રોડ, સાંતાક્રુઝ (વેસ્ટ). (લૌકિક વહેવાર બંધ રાખેલ છે)