Pages

Monday, May 31, 2010

ઇસ્પિતાલમાં

હાલમાં આપણા ઘણા સભ્યો ઇસ્પિતાલમાં માંદગીને કારણે ભરતી થયા છે. તેઓ છે
૧) યુવક મંડળના સ્થાપક સભ્ય શ્રી હિરાલાલ કલ્યાણજી મહેતા

૨) ઇન્દિરાબેન નવલચંદ લોદરીયા

૩) નલિન જીવરાજ શેઠ

તેઓ બધા રોગમુક્ત થઇ સાજા નરવા ઘરે પરત આવી જાય તેવી ભાવના

મૃત્યુ

વતન : વાંકાનેર
હાલ : અંધેરી,મુંમ્બઇ
મરનારનુ નામ : મહેન્દ્ર ધીરજલાલ શેઠ
ઉમર : ૬૬ વર્ષ
મરણ તારીખ : ૨૯-૦૫-૨૦૧૦
પત્નિ :વિલાસબેન
પુત્ર : ધર્મેશ
પુત્રવધૂ : દિપ્તી
પુ્ત્રી :બિજલ
જમાઇ : મનિષકુમાર
ભાઇઓ : સ્વ. દિનેશભાઇ,સ્વ. ઇન્દુભાઇ, સ્વ. દુષ્યંતભાઇ, પરેશભાઇ
બહેનો : મંજુલાબેન મહેન્દ્રભાઇ સંઘવી, મીનાબેન વિનોદભાઇ સંઘવી
પિતા : સ્વ. ધીરજલાલ મોતીચંદ શેઠ
માતા : સ્વ. કાંતાબેન
સસરા : સ્વ. હિરાલાલ ઉમેદચંદ ઝવેરી
પ્રભુ દિવ્યાત્માને પરમ શાંતિ આપે

ફોટાઓ માટે અપીલ

તા. ૦૧-૦૫-૨૦૧૦ના રોજ ઉજવાઇ ગયેલ કાર્યક્રમમાં જે ભાઇઓનું બહુમાન થયું છે તેઓના ફોટા બ્લોગ ઉપર પબ્લિશ કરવાનું નક્કી કરેલ છે તો જેઓની પાસે ફોટાઓ હોય તેઓએ ફોટા તથા ફોટામાં રહેલ વ્યક્તિનું નામ જણાવી ફોટા બ્લોગના ઇ-મેઇલ પર મોકલવા તો તે જરૂરથી છાપવામાં આવશે. વધુમાં જેઓ પાસે વાર્ષિકોત્સવ કે ડો. અશોક સંઘવીના સેમીનારના ફોટા હોય તો તે પણ મોકલશો જે અમો છાપીશું. ફોટા સાથે ફોટાની વિગત અવશ્ય હોવી જોઇએ.

Sunday, May 30, 2010

મોટા મંડળ અને યુવક મંડળને અપીલ

વેકેશન પુરું થવામાં છે. નોટબુકોનું વિતરણ ચાલુ થશે. જો આપનામા દયા હોય તો જરૂરથી સમાજના સભ્યોને પડતી અગવડતાનો વિચાર કરશો. બબ્બે જગ્યાએથી આટલી બધી વસ્તુઓ ઉંચકીને લઇ જવાનું વિકટ કાર્ય સહેલું કરવા કોશિશ કરશો. બન્ને મંડળો દાદર ખાતેથી જ જો વિતરણ કાર્ય કરે તો ચોક્કસ સભ્યોને સુગમતા થાય. વિતરણ રવિવારે આખો દિવસ રાખો તો ગાડીની ભીડ ઓછી નડે.નોટોનું વિતરણ કરીને આપણે કોઇના ઉપર ઉપકાર કરતા નથી પરંતુ આપણે આપણા જ ભાઇઓને મદદ કરીયે છીએ. કારોબારીએ થોડી વધુ મહેનત કરીને પણ મોટા સમુદાયને રાહત થાય તો તે કરવી જોઇએ.વધુમાં આપણું આ કાર્ય જુન મહિનામાં સ્કૂલો શરૂ થતાં સમ્પન્ન થાય છે જે વરસાદનો મહિનો પણ છે.

Friday, May 28, 2010

મૃત્યુ



વતન : રંગપર બેલા
હાલ : મોરબી
મરનારનુ નામ : ચંપકલાલ મણીલાલ સંઘવી
ઉમર : ૮૩ વર્ષ
મરણ તારીખ : ૨૨-૦૫-૨૦૧૦
પત્નિ : કમળાબેન
પુત્રો : હિતેશ, હરીશ
પુત્રી : નમ્રતાશ્રીજી
પિતા : મણીલાલ શીવલાલ સંઘવી
ભાઇઓ : ધીરજલાલ, વિનોદરાય,પ્રશમચંદ્ર, પ્રશાંતશ્રીજી
બહેન : કૈરવગુણાશ્રીજી
સસરા : પટેલ છબીલદાસ વિરજી
પ્રભુ દિવ્યાત્માને પરમ શાંતિ આપે

Thursday, May 27, 2010

લગ્ન તથા સગપણ તથા મગની મુઠ્ઠી

હર્ષલ રમેશ રતિલાલ પ્રાણજીવન લોદરિયાના લગ્ન તા. ૨૪-૦૫-૨૦૧૦ના રોજ થયા.
***
સચી હિતેશજયંતિલાલ જીવરાજ મેહતાનું સગપણ તા.૨૩-૦૫-૨૦૧૦ના રોજ થયું
****
મિતેષ રાજેન્દ્ર ઉમેદચંદ શાહની મગની મુઠ્ઠી ગયા અઠવાડિયે લેવામાં આવી.

મરણ

જોડીયાનિવાસી સ્વ. મગનલાલ જેઠાલાલ ઘોલાણીના સુપુત્રી તથા સ્વ. પ્રવિણભાઇ અને કુમુદચંદ્રના બેન નિર્મળાબેન રસીકલાલ દોશી (ઉ. વ. ૭૩) તા. ૧૯-૫-૨૦૧૦ના રોજ અવસાન પામ્યા છે.

Sunday, May 16, 2010

વરસીતપ નિમીત્તે મોરબીમાં નવકાસી

યશોમતિ દિનેશચંદ્ર પ્રભુલાલ વિરપાળ દોશીએ વરસીતપની તપસ્ચર્યા સમતાપૂર્વક પુરી કરતાં તેની ખુશાલીમાં મોરબી ખાતે આજે નવકાસી જમણવાર રાખવામાં આવેલ હતો. લગભગ ૫૦૦૦ થી ૫૫૦૦ માણસોની હાજરી હતી. સમાજે રસ-પુરીનું જમણ માણ્યું. પ્રભુલાલ વિરપાળ દોશી પરિવારને ધન્યવાદ.

કાર્યકર્તાઓના બહુમાન પ્રસંગે મળેલ દાનરાશિ

કાર્યકર્તાઓના બહુમાન પ્રસંગે સારી એવી દાનરાશિ જાહેર થઇ પરંતુ તેનું લિસ્ટ મેળવવામાં તકલિફ પડી. જેટલી વિગતો મળી છે તેનું સંકલન કરી અત્રે પ્રસ્તુત કરેલ છે. તેમાં ભૂલ કે શરતચૂક થવાની પુરેપુરી શક્યતા છે. જે કોઇ આ બાબત સુધારો સુચવશે તો તેને સુધારવામાં આવશે.
રૂ. ૧૫,૦૦૦.૦૦
૧) શ્રી ગુણવંતરાય હરખચંદ શાહ

રૂ. ૧૧,૦૦૦.૦૦ દરેકના
૨) શ્રી પ્રફુલ્લચંદ્ર માણેકલાલ શાહ
૩) શ્રી રાજેન્દ્રભાઇ ઉમેદચંદ શાહ
૪) શ્રી કમલેશભાઇ ચંદુલાલ શાહ

રૂ. ૫,૦૦૦.૦૦ દરેકના

૫) હિમતલાલ જીવરાજ મેહતા
૬) ભોગિલાલ મોહનલાલ મેહતા
૭) હિરાલાલ માણેકલાલ શાહ
૮) નલિન જીવરાજ શાહ
૯) ગિરધરભાઇ જેતશી સંઘવી
૧૦) સૂર્યકાંત રસિકલાલ મેહતા
( અમુભાઇ દોશીનુ નામ કદાચ રહી જાય છે )

રૂ. ૨,૫૦૦.૦૦ દરેકના

૧૧) હસમુખભાઇ જેઠાલાલ પારેખ
૧૨) મહેન્દ્રભાઇ ગોવિંન્દજી ગાંધી
૧૩) મહેન્દ્રભાઇ વાડીલાલ મેહતા
૧૪) નવિનભાઇ નિમચંદ લોદરિયા
૧૫) કુંદનબેન બિપિનભાઇ સંઘવી

આ ઉપરાંત દરેક માજી અને હાલના પ્રમુખોના રૂ. ૨૫૦૦/- જાહેર કરવામાં આવ્યા. તે રકમ કેટલી થશે તેનો ક્યાસ નિકળી શકે તેવું નથી કારણ કે કેટલાક પ્રમુખો આ જાહેરાત સાથે વૈચારિક રીતે તો કેટલાક નાણાકિય રીતે સહમત નહી થાય તે નક્કી જ છે. આ રીતની આવેગમય જાહેરાત અયોગ્ય લાગે છે એટલું જ નહી રશ્મિકાંત શાહે જે જાહેરાત કરી તેનું સુચન પરેશભાઈ કે અતુલભાઇએ કરેલ હતુ. હવે જો કોઇ પ્રમુખ જાહેરાત થયા મુજબ પૈસા ન આપે તો તે મેળવવાની જવાબદારી સુચનકર્તાની બને છે. પ્રયત્નો છતાં ય ન મેળવી શકાય તો તે ભરપાઇ કરવાની જવાબદારી સુચનકર્તાની બને છે. કોઇપણ કારણ સર મંડળને જાહેરાત કરતા ઓછા પૈસા મળવા ન જોઇએ. સવાલ પૈસાનો નથી સવાલ સુચનકર્તાની જવાબદારીનો છે. સુચનકર્તા જ્યારે આ જાહેર કરાવે છે ત્યારે
તેના જામીન તરીકે ઊભો રહે છે. તાળી વગડાવી ને ભૂલી જાવ એવી વાત ન હોવી જોઇએ. ભૂતકાળમાં પણ આપણે આવી ભૂલ કરેલ છે. હમણાંનો જ દાખલો લઇએ તો ડ્રોઇંગ હરીફાઇનું પરિણામ શું આવ્યુ? કઇ વેબ સાઇટ પર તેને મુકવામાં આવ્યુ ? સમાજના બાળકો પાસે આપણે કેટલા કલાક કામ કરાવ્યુ ? તે પણ મફતમા !!


કાચી ગણતરી મુજબ ૧૭ માજી અને હાલના ૧ મળી ૧૮ પ્રમુખોનો ફાળો રૂ. ૪૫,૦૦૦.૦૦ થશે. આમ કુલ્લે રૂ. ૧,૩૫,૫૦૦.૦૦ નું ડોનેશન મંડળને મળ્યુ (આશરે)

Saturday, May 15, 2010

જિંદગી

જિંદગી વિશેનો એક વિચાર આપણા શ્રી ડીકે એટલે કે દિનેશ શાહે મોકલાવેલ છે તે અત્રે પ્રસ્તુત છે.

જિંદગી મળવી એ નસીબની વાત છે,
મૃત્યુ મળવું એ સમયની વાત છે,
પણ મૃત્યુ પછી પણ કોઈના હૃદયમાં જીવતા રહેવું,
એ જિંદગીમાં કરેલા કર્મની વાત છે…
પોતાનાં વગર દુનિયા અટકી પડશે એવું માનનારાઓથી કબરો ભરેલી છે.
કોણ કહે છે ભગવાનના ઘરે અંધેર છે,
સુખ અને દુખ તો છે ઈશ્વરની પ્રસાદી,
બાકી તો માનવીની સમજ સમજમાં ફેર છે..
નાનપણ હતું ત્યારે જલ્દી યુવાન થવા માંગતા હતા,
પણ હવે સમજાયું કે,
અધૂરા સપના, અધુરી લાગણીઓ અને તુટેલાં સંબંધ કરતા
અધૂરું હોમવર્ક અને તૂટેલા રમકડાં વધુ સારા હતા !!

નોંધ : તમો જે કોઇ સારી વસ્તુ વાંચો, મેળવો અને અમોને મોકલો તેના કર્તા આપ ન હો તો અવશ્ય લેખ, કાવ્ય કે અન્ય લખાણના કર્તાનું નામ લખશો. તેઓના નામનો ઉલ્લેખ એ આપણી ફરજ જ નહી પણ લેખક તરફનો વિવેક પણ છે. આ બાબત એક લેખકનો ઇ-મેલ પણ અમોને મળેલ છે તેની નોંધ લેવા મહેરબાની.

Friday, May 14, 2010

મૃત્યુ


વતન : વાંકાનેર
હાલ : મુંમ્બઇ
મરનારનુ નામ : રાકેશ જયંતિલાલ ગાંધી
ઉમર : ૩૭ વર્ષ
મરણ તારીખ : ૦૭-૦૫-૨૦૧૦
પિતા : જયંતિલાલ વનેચંદ ગાંધી
માતા : સ્વ. રંજનબેન
ભાઇઓ : અશ્વિન, નેમિષ, રિતેશ
ભાભીઓ : રુપા,બબિતા, રેશ્મા
બહેન : ચેતના મયુર શેઠ
કાકા : સ્વ. પ્રમોદ વનેચંદ ગાંધી
મામાઓ : ઇન્દુલાલ તથા મુકેશ રાયચંદ મેહતા
પ્રભુ દિવ્યાત્માને પરમ શાંતિ આપે

Monday, May 10, 2010

કાર્યકરો અને દાતાઓના બહુમાનનો કાર્યક્રમ- એક ટીકાકારની નજરે

દરેક સિક્કાની બે બાજુ હોય છે તેમ દરેક સામાજીક કાર્યની સારી અને નરશી બાજુ હોય છે. તમારે કઇ બાજુ જોવી છે તે તમારે નક્કી કરવાનું હોય છે. પરંતુ ટીકાકાર હંમેશા નરશી બાજુ જ દેખાડવાનો પ્રયત્ન કરશે.આ ટીકા રચનાત્મક પણ હોય અને નકારાત્મક પણ હોય. નકારાત્મક ટીકા કાર્યકરોને નિચા દેખાડવા થતી હોય છે પરંતુ રચનાત્મક ટીકા તેમને સુધારવા વધુ પ્રયત્નશીલ રહેવા પ્રેરે છે. જે ટીકાઓ અમે સાંભળી તેનો સાર રજુ કરવાનો પ્રયત્ન કરેલ છે.

૧) કાર્યક્રમ "By Invitation" રાખવામાં આવ્યો કારણ કે હોલ નાનો હતો. પરંતુ ખરેખર હોલ ૬૦% જેટલો ભરાયો હતો તેમ જ પહેલો માળ તદ્દન ખાલી હતો. ફક્ત એક જ્ગ્યાએ ટીકિટનું વેચાણ રાખેલ હોત તો સમાજનો થોડો વર્ગ આ કાર્યક્રમમાં સામેલ થઇ શક્યો હોત. એક રીતે આ કાર્યક્રમ કાર્યકરો અને દાતાઓ દ્વારા પોતાનું બહુમાન કરવા યોજાયેલ હોય તેવો ઘાટ થયો. થોડુંક પ્લાનિંગ , થોડીક યોજના કે થોડીક દૂરંદેશીથી અ કાર્યક્રમ હજુ વધુ દિપી ઊઠ્યો હોત.

૨) અમિતાભ બચ્ચન અચ્છો એક્ટર હોવા છતાં ડાયલોગનું રિહર્સલ કર્યા વગર બોલતો નથી પરંતુ આપણા મેનેજિંગ ટ્રસ્ટી પરેશભાઇ શાહ શું બોલ્યા અને લોકો શું સમજ્યા તે સંશોધનનો વિષય બની રહ્યો છે. તેઓએ જેઓનું નામ પોતાના પ્રવચનમાં લીધું તેઓ હોલમાં હાજર હોવા છતાં તેઓને તે બાબત ખબર જ પડી નથી. પરેશભાઇ અગાઉ પણ મંડળના પ્રમુખ રહી ચૂક્યા છે તેથી તેમનાથી સ્ટેજ અજાણ્યું નહોતુ. તેઓ પુરતી તૈયારી વગર બોલ્યા.

૩) હરિશભાઇ મહેતાનો અવાજ મીઠો છે અને વર્ષોથી માઇક સંભાળી રહ્યા છે. પરંતુ તેમની પ્રસ્તુતિ મિકેનીકલ રહી જ્યારે રશ્મિકાંત શાહની રજુઆત પ્રસંગને અનુરૂપ મેડલ મેળવતા કાર્યકરના કાર્ય વિષે વિગત પુરી પાડનારી રહી.

૪) અભિવાદન પત્ર ચાર પાંચ પ્રકારના હતા. પરંતુ હાલની કમિટિના સભ્યોના અભિવાદન પત્રોમા નામ આગળ "સન્માનિય" વિશેષણ વપરાયું છે જ્યારે બીજા બધા અભિવાદનોમા સીધું નામ જ લખવામાં આવેલ છે.

૫) દરેક અભિવાદન પત્રમાં છેલ્લી લીટીમાં લખેલ છે કે પરમ કૃપાળુ પરમાત્મા આપને નિરામય,સુદીર્ઘ યશસ્વી જીવન અર્પે એ જ અભ્યર્થના. જે કાર્યકરો ગુજરી ગયા છે તેમને આ કેવી રીતે લાગું પડે ?

૬) જમણવારની ગોઠવણમાં થોડુ કહેવા પણુ હતુ. બન્ને કાઉંટર બહુ નજીક નજીક હોવાથી ભીડ થતી હોય તેવું લાગતું હતું. થોડા અંતરે જો કાઉંટર ગોઠવાયા હોત તો વ્યવસ્થા જળવાઇ રહેત. સભ્યો બીજી વાર કાઉંટર પર જવાનું ટાળતા હતા આથી બધી વસ્તુઓ વધુને વધુ લઇને કાઉંટર છોડતા હતા. જાહેર છે કે આમ થવાથી ચીજવસ્તુઓનો બગાડ થવાનો જ છે.

Friday, May 7, 2010

મૃત્યુ


વતન : વાંકાનેર
હાલ : ઘાટકોપર,મુંમ્બઇ
મરનારનુ નામ : કુસુમબેન અમૃતલાલ ગાંધી
ઉમર : ૮૫ વર્ષ
મરણ તારીખ : ૦૪-૦૫-૨૦૧૦
પતિ : સ્વ. અમૃતલાલ બેચરદાસ ગાંધી
પુત્રો : બીપીન, દિલીપ,ઉપેન્દ્ર
પુત્રીઓ : તરુલતા દિલીપકુમાર, આશા પ્રકાશકુમાર, ઇલા અશ્વિનકુમાર
પુત્રવધૂઓ : હંસાબેન,ભારતીબેન,સ્મિતાબેન
પિતા : સ્વ.મલિચંદ વર્ધમાન મહેતા
ભાઇઓ : બળવંતભાઇ
બહેનો: વનિતાબેન,ચંદ્રિકાબેન
પ્રભુ દિવ્યાત્માને પરમ શાંતિ આપે

Wednesday, May 5, 2010

રાહુલ રસિકલાલ લોદરિયાને જાહેર પત્ર

ભાઇ રાહુલભાઇ,

તમો ભણતરની દ્રષ્ટિએ સી.એ છો. તમારી પોતાની પ્રેક્ટીસ છે. તમો યુવકમંડળના પ્રમુખ રહી ચૂક્યા છો. અને તેને હિસાબે મંડળના માનદ્ પેટ્રન પણ નિમાયા છો. આ બધી આનંદની વાત છે. તમોએ મંડળની વેબ સાઇટ પણ ડેવલપ કરેલ છે. આપણી વેબ સાઇટ ૨૧ મી ફેબ્રુઆરીના રોજ ખુલી મુકાઇ છે. પરંતુ દુ:ખ સાથે કહેવાનું કે આ વેબ સાઇટ ઉપર સમ ખાવા પુરતું પણ કાંઇ મુકાયુ નથી. જે દિવસે વેબ સાઇટ કાર્યાવિંત થઇ ત્યારે તે વિષે ઘણું બધું કરીશું અને સમાજના સભ્યોને સાઇટની લત લાગી જશે તેવા પ્રકારની બનાવીશું તેવો પ્રચાર પણ થયો હતો. પણ સાઇટને વાઇરસ લાગવા સિવાય બીજો કોઇ વધારો તેમા થયો નથી.

વધુ છાનબીન કરતા માલુમ પડ્યુ કે તમે રાજીનામુ આપી દીધુ છે. તેથી બધું કામ ઠપ થઇ ગયેલ છે. રાજીનામાના કારણ માટે એમ જાણવા મળ્યું કે વાર્ષિકોત્સવ પ્રસંગે આપનુ વક્તવ્ય કાપી નાખવામા આવ્યુ તેનુ તમને ખરાબ લાગ્યુ હોવાથી તમોએ રાજીનામુ આપેલ છે.સમાજ લેવલે પોતાનો વિરોધ પ્રગટ કરવો એક વાત છે અને સંસ્થા સાથે સંબધ કાપી નાખવો એ બીજી વાત છે. તમે જે કરી રહ્યા છો તે સંબંધ વિચ્છેદ છે.

સમાજ એક મોટા કુટુંબ સમાન છે. અને મોટા કુટુંબમા નાનામોટા છમકલાઓ થતા જ હોય છે. પરંતુ તેનાથી કુટુંબ ભંગ થતા નથી. તેનાથી જવા દેવાની ભાવના , સહિષ્ણુતા, ચલાવી લેવાની ભાવના કે સહનશિલતા જ ખિલે છે. તમો આવી ભાવનાઓ ખિલવવાને બદલે તેનાથી વિમુખ થઇ બદલો લેવાની ભાવનાથી પ્રેરાયા છો તે ખરેખર દુ:ખદ છે.

કાર્યકરો તથા દાતાઓનો સન્માન સમારોહ હમણાં જ સમ્પન્ન થયો તે બાબત તમોને બહુ જ રસ હતો અને તમારી પાસે તેને જુદી રીતે ઉજવવાનો પ્લાન પણ હતો. આ સર્વ તમારી કારોબારીમાં ગેરહાજરીને કારણે શક્ય ન બન્યું એટલું જ નહી તમે આ કાર્યક્રમમાં ગેરહાજર પણ રહ્યા. ૫૦ વર્ષે એક વાર આવતો કાર્યક્રમ તમે તમારી જીદને લીધે ચૂકી ગયા તેની કિંમત તમોને આજે નહી સમજાય પરંતુ વખત જતાં તમને તેનો અફસોસ થયા વગર રહેશે નહી.

જ્યારે તમારા એકલા હસ્તક વેબ સાઇટનું કામ છે ત્યારે તેને Running Condition માં રાખવાની તમારી ફરજ છે. તમારે જે કોઇ મનદુ:ખ હોય તે તેની જગ્યાએ છે જ પરંતુ તેને હિસાબે સાઇટ કામ કરતી બંધ ન થવી જોઇએ.તમે ફક્ત કારોબારીને જવાબદાર નથી પરંતુ તમારે આખા સમાજને તેનો જવાબ દેવાનો છે. આપણા અંદરઅંદરના મતભેદને કારણે દાતાઓ શું વિચારશે ? તેની પણ ગણતરી કરવી જોઇએ.

તમારે વહેલામાં વહેલી તકે વેબ સાઇટનું અધુરું કામ ઉપાડી લેવું જોઇએ અને બનતી ત્વરાએ તેને લાઇન પર લાવી દેવી જોઇએ.

છેવટે સનેડાની બે લિટીઓ સાથે સમાપન કરું છું

હે.... ગાડી હોય તો કો'ક 'દિ પંચર પડે; એને વેચી ના દેવાય!
બાયડી હોય તો કો'ક 'દિ વિફરે; એને કાઢી ના મેલાય! સનેડો.
સનેડો સનેડો.......

Tuesday, May 4, 2010

કાર્યકર્તા અને દાતાઓના બહુમાનનો કાર્યક્રમ- રૂપેશ શાહની નજરે

રૂપેશ શાહ અવારનવાર આ બ્લોગ ઉપર પોતાના મંતવ્યો રજુ કરે છે. આ વખતે તા. ૦૧-૦૫-૨૦૧૦ના રોજ ઉજવાઇ ગયેલા બહુમાન કાર્યક્રમ વિષે તેઓએ ઇ-મેઇલ મોકલાવેલ છે તેને વ્યાકરણની દ્નષ્ટિએ થોડો ઘણો સુધારી અત્રે મુકેલ છે.


જય જિનેન્દ્ર,

યુવક મંડળનો કાર્યકર્તા અને દાતા પરિવારનો બહુમાન પ્રોગ્રામ ખૂબ જ સરસ રીતે ઉજવાયો તે બદલ યુવક મંડળની કારોબારી સમિતિ, યુવક મંડળના માજી પ્રેસીડેન્ટ શ્રી રશ્મીકાંત જેવતલાલ શાહે કરેલી તૈયારી ખુબજ નોંધનીય છે. અને તેમની મેહનતના ફળ સ્વરૂપ યુવક મંડળનો આ કાર્યક્રમ ખૂબ જ સારી રીતે ઉજવાઈ ગયો. તે બદલ યુવક મંડળના સર્વે કાર્યકરો અને શ્રી રશ્મિભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન.

આ કાર્યક્રમનુ આયોજન અને ગોઠવણ પણ ખૂબ જ સરસ હતી. દરેક કાર્યકર્તાઓનુ બહુમાન ખૂબ જ સારી રીતે થયુ.

આ કાર્યક્રમમા જો આપ આવ્યા હશો તો જોયુ હશે કે યુવક મંડળના પ્રેસીડેન્ટ અને યુવક મંડળના મૅનેજિંગ ટ્રસ્ટીનુ બહુમાન કરવા યુવક મંડળની સંપૂર્ણ કારોબારી સમીતી આવી પણ યુવક મંડળના બાકીના જે પણ કાર્યકર્તાઑ ત્યા હાજર હતા તેમના બહુમાન વખતે જે વ્યક્તિ બહુમાન કરતા હતા તે જ હતા. યુવક મંડળના પ્રમુખ કે મૅનેજિંગ ટ્રસ્ટીઍ પણ યુવક મંડળના સર્વે કાર્યકર્તાના બહુમાન વખતે તેમની સાથે ઉભા રહી કારોબારી સમીતીના સભ્યોનુ બહુમાન કર્યુ હોત તો ઘણુ સારુ લાગત. પણ આ તો ઍ લોકો ને સમજવાની વાત છે.

આજે જ્યા ખુરશીની અને સ્ટેજ ઉપર બેસવાની મારામારી ચાલી રહી છે ત્યારે યુવક મંડળના ઍક કાર્યકર શ્રી હીરેનભાઈ લોદરિયા જે યુવક મંડળના ટ્રસ્ટી છે અને જેમની સ્ટેજ પર ખુરશી હોવા છતા તેના સહકાર્યકરો સાથે બૅક સ્ટેજમા કામ કરતા જોવા મળ્યા તે ખૂબ જ સારી વાત છે અને જે દેખાડે છે કે સ્ટેજ પર બેસવાથી નામ નથી થતુ પણ કાર્ય કરવાથી જ નામ થાય છે. આ છે ગુરુ પાસે લીધેલી સાચી શિક્ષા.

હવે તમે પુછસો કે હીરેનભાઈના ગુરુ કોણ? તો જ્યા સુધી મને ખબર છે ત્યા સુધી હીરેનભાઈ શ્રી અવંતિભાઈ સંઘવીને તેમના ગુરુ માને છે અને તેમના જ સિધ્ધાંત મુજબ સ્ટેજ પર બેસતા નથી. આ છે ખરી ગુરુને આપેલી ખરા અર્થમા દક્ષિણા.

અત્યારે મારે અહી ઍટલુ જ ક્હેવુ છે કે જો યુવક મંડળના દરેક કાર્યકર આ રીતે ખુરશીનો મોહ છોડીને કામ કરસે તો યુવક મંડળ સફળતાના નવા નવા શિખર સર કરસે.

આજે યુવક મંડળ પાસે યૂવા શકતી અને યુવા કાર્યકરો ની ખુબજ સરસ ટીમ છે જેમકે હીરેનભાઈ લોદરિયા, નિમેષભાઈ મેહતા, જયેશભાઇ દોશી, મેહુલભાઇ શાહ, દીપકભાઇ શાહ, રાહુલભાઇ મેહતા, જતીનભાઈ શાહ જેનુ નેતૃત્વ કરે છે પરેશ વનેચંદ શાહ, અતુલ ચંદ્રકાંત સંઘવી, જયેશ કનકરાય વખારિયા જેવા સિનિયર કાર્યકર્તા

યુવક મંડળની ટીમને ઍટલી જ વિનંતી છે કે સમાજ માટે સારા કર્યા કરો.

Monday, May 3, 2010

મુંબઇ સમાચારમાંથી

મુંબઇ સમાચારમાં આજ રોજ તા. ૦૩-૦૫-૨૦૧૦નું કટીંગ વાંચવા અત્રે ક્લિક કરો
સમાચાર ખરેખર સોચનીય છે. આપણા સમાજમાં પણ આવું થઇ શકે ? માનવામાં નથી આવતું.

મૃત્યુ


વતન : વાંકાનેર
હાલ : મુંમ્બઇ
મરનારનુ નામ : હિતેષ રમણીકલાલ મહેતા
ઉમર : ૪૫ વર્ષ
મરણ તારીખ : ૦૧-૦૫-૨૦૧૦
પિતા : રમણીકલાલ કપૂરચંદ મહેતા
માતા : મુક્તાબેન
પત્નિ : અલકા
પુત્ર : પારસ
પુત્રી : વિધી
ભાઈઓ : મહેશ, નલિન, પ્રદિપ
બહેન : વર્ષા દિનેશ સંઘવી
સસરા : પ્રફ્ફુલચંદ્ર ત્રિભોવનદાસ લોદરિયા
સાસુ : ભાવનાબેન
પ્રભુ દિવ્યાત્માને પરમ શાંતિ આપે

આપણે માત્ર "જૈન" છીયે

વસતિ ગણતરી : જૈનો માટે ભૂલ સુધારવાનો અણમોલ અવસર

ધર્મના ખાનામાં જૈનો પોતાના ધર્મને માત્ર અને માત્ર "જૈનધર્મ'' લખાવે...

ખાસ ભલામણ : આ ઇમેઇલ તમારા જૈન મિત્રોને અત્યારે જ ફોરવર્ડ કરો... જો તમે જર્નાલિસ્ટ હો તો આ નિવેદન તમારા વર્તમાનપત્રમાં પ્રકાશિત કરીને સમાજનું ઋણ અદા કરો.

ભારતમાં વસતિ ગણતરીનું કાર્ય શરૂ થઈ ચૂક્યું છે. ટૂંક સમયમાં જ આ કાર્ય સાથે સંકળાયેલા કર્મચારીઓ તમારા ઘરના બારણે ટકોરા મારશે. અગાઉની વસતિ ગણતરી દરમ્યાન જૈનોની વસતિના સાચા આંકડા બહાર આવ્યા નથી. જે આંકડા બહાર પડ્યા છે તે ભ્રામક છે.

જૈનોની સાચી સંખ્યા બહાર ન આવવાનાં ઘણાં કારણો છે. જેમાં ધર્મના ખાનામાં સ્પષ્ટ રીતે "જૈન'' લખાવવાની બેદરકારી એ સૌથી મોટું કારણ છે. સાચી સમજણના અભાવે ઘણીવાર જૈનોને "હિન્દુ-જૈન'', "જૈન-હિન્દુ'' કે "હિન્દુ'' વગેરે તરીકે પણ ઓળખાવવામાં આવે છે. એ કારણે પણ જૈનોની સાચી સંખ્યા ગોટાળે ચડે છે.

વસતિ ગણતરીના કાર્ય સાથે સંકળાયેલા બધા કર્મચારીઓ પણ ચીવટવાળા ન હોય એ સ્વાભાવિક છે. આમાંના કેટલાક તો વેઠ સમજીને પોતાના ફાળે આવેલા કામને મજૂરી જેવું ગણીને જલદી જલદી કામ પતાવીને ઘર ભેગા થવાની વૃત્તિથી પીડાતા હોય છે. કેટલાકને તો જૈનધર્મના નામની પણ ખબર નથી હોતી.

વસતિ ગણતરી સાથે સંકળાયેલા મોટાભાગના કર્મચારીઓ "વૈજ્ઞાનિક રીતે વસતિ ગણતરી કઈ રીતે કરવી'' તેની કોઈ તાલીમ પામેલા હોતા નથી અને માત્ર પોતાને આપી દેવાયેલાં ફોર્મ ઉતાવળે ઉતાવળે ભરીને ચાલતા થાય છે. તો કેટલાક કર્મચારીઓ લાલફીતાશાહીમાં કામ કરવાની સરકારી રસમને અનુસરીને કામના કલાકો પૂરા થાય તેની ફિરાકમાં હોય છે. આવા સંજોગોમાં, ઘણીવાર, ધર્મના ખાનામાં તેઓ પોતાની જાતે જ જૈનો માટે "હિન્દુધર્મ'' લખી નાખે છે.

"મુસ્લિમ કે ક્રિશ્ચિયન ન હોય તે હિન્દુ જ હોય'' એવી અજ્ઞાનતાના કારણે પણ ધર્મના ખાનામાં કર્મચારીઓ પોતાની જાતે જ, ઘણીવાર, જૈનો માટે હિન્દુ લખી નાખે છે.

આ અને આ સિવાયના બીજાં પણ સામાજિક, રાજકીય અને અન્ય કારણોસર ધર્મના ખાનામાં સ્પષ્ટ રીતે "જૈન'' ન લખાવવાના કારણે ઘણી સમસ્યાઓ ઊભી થાય છે.

યાદ રાખો, તમે માત્ર અને માત્ર જૈન છો. તેથી ધર્મના ખાનામાં સ્પષ્ટ રીતે "જૈન'' લખાવશો.

યાદ રાખશો કે ધર્મના ખાનામાં જ્ઞાતિનું નામ લખાવવાની ભૂલ કદી ન કરશો અને જ્ઞાતિના ખાનામાં પોતપોતાના "ગોળ'' ન લખાવતાં માત્ર "જ્ઞાતિ''નું નામ જ લખાવશો. જેમ કે "ઓસવાળ, પોરવાડ, શ્રીમાળી, હુંબડ, ભાવસાર કે નીમા'' વગેરે જે હોય તે. "પાંચ ગામ દશા શ્રીમાળી'' કે "બાવન ગામ ભાવસાર'' કે "પાંચ એકડા'' વગેરે લખાવવાના બદલે તમારી જે બૃહદ્‍ જ્ઞાતિ હોય તે જ લખાવવી તમારા અને જૈન ધર્મના હિતમાં છે.

"શું જૈનો હિન્દુ નથી'' એવો સવાલ ઊભો કરનારા "દોઢ-ભણેલા''ઓ સાથે જીભાજોડીમાં ઊતરશો નહીં. એ સમયની બરબાદી સિવાય કશું નથી. કેમકે મોટા મોટા ગુરુભગવંતો પણ આ મામલે લોચાઓ મારી ચૂક્યા છે ત્યારે સામાન્ય જૈનનું આ મામલે ચર્ચા કરવાનું ગજું કે જ્ઞાન ન હોય એ સ્વાભાવિક છે. "શું જૈનો હિન્દુ નથી'' એવો સવાલ જિજ્ઞાસાભાવે કોઈ સરળ વ્યક્તિને થતો હોય તો તે સમાધાન માટે અગાઉથી સમય લઈને મને મળી શકે છે.

વસતિ ગણતરી સાથે સંકળાયેલા કર્મચારી "શું જૈનો હિન્દુ નથી'' એવો સવાલ ઊભો કરે તો તેમને સવિનય બહુમાનપૂર્વક વિવેકભર્યા શબ્દોમાં, પણ મક્કમતાથી, જણાવો કે "આ તમારો વિષય નથી'' અને અત્યારે તમે જે કાર્ય માટે અમારા દ્વારે પધાર્યા છો તે અંગેની ફરજ બજાવીને ધર્મના ખાનામાં અમારી ઓળખ સ્પષ્ટ રીતે "જૈન'' તરીકેની લખો.

વસતિ ગણતરીના સંદર્ભમાં, આ તબક્કે તમે માત્ર એટલું જ યાદ રાખો કે "તમે બીજું કશું નથી, માત્ર જૈન છો.'' ધર્મના સૈદ્ધાંતિક અર્થમાં જૈનધર્મ હિન્દુધર્મથી કેવી રીતે અને શા માટે અલગ પડે છે તે સમજવા લાખો વાચકો દ્વારા વંચાયેલી અને વખણાયેલી પ્રખ્યાત પુસ્તિકા "મોદીક્ષેત્રે કુરુક્ષેત્રે'' આજે જ વાંચો. ગૂગલ ઉપર "modikshetre kurukshetre'' સર્ચ કરવાથી નેટ ઉપર આ પુસ્તિકા મળી રહેશે.

જૈનોને ખાસ ભાવભીની અપીલ છે કે કોઈના દબાણ, ધાક, ધમકીને તાબે થયા વિના ધર્મના ખાનામાં જૈન લખાવશો.

લખાણ મોકલનાર : પ્રદિપ સી. દોશી

Saturday, May 1, 2010

યુવક મંડળ દ્વારા યોજાયેલ કાર્યકરો અને મુખ્યદાતાઓનો અભિવાદન સમારોહ - આછી ઝલક

આજે (૧-૫-૨૦૧૦ના રોજ) યુવક મંડળ દ્વારા કાર્યકરો અને મુખ્યદાતાઓનો અભિવાદન સમારોહ યોજાઇ ગયો. સવારના ૧૦ વાગ્યે ગીત-સંગીતનો નવતર કાર્યક્રમ (Karaoke)શરૂ થઇ ગયો હતો. એક કલાક બાદ એટલે કે ૧૧ વાગ્યે અભિવાદન સમારોહ શરૂ કરવામાં આવ્યો. લગભગ ૬૦૦ જ્ઞાતિજનોની હાજરી હતી. મુખ્ય અતિથિઓ હતા
૧) દિપ પ્રાગટ્ય શ્રી ગુણવંતરાય હરખચંદ શાહ દ્વારા
૨) સમારંભ પ્રમુખ શ્રી પ્રફુલ્લચંદ્ર માણેકલાલ શાહ
૩) સન્માન પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઇ ઉમેદચંદ શાહ
૪) સ્વાગત પ્રમુખ શ્રી કમલેશભાઇ ચંદુલાલ શાહ
( આમંત્રણ પત્રિકામાં શ્રી ગુણવંતરાય હરખચંદ શાહનો ઉલ્લેખ જ નથી. થોડું અચરત પમાડે એવું જરૂર લાગે છે)
અભિવાદન માટે લગભગ ૧૫૦ નામોની યાદી તૈયાર કરવામાં આવી હતી. તે પૈકી ૯૦ કાર્યકરો કે તેમના સંબંધીઓએ અભિવાદન પત્રોનો સ્વિકાર કરેલ હતો. અભિવાદન ૫ વર્ગમાં વિભાજિત કરવામાં આવેલ હતુ.

૧) મુખ્યદાતાઓને
અપાયેલ અભિવાદન પત્ર વાંચવા નિચેના ફોટા ઉપર ક્લિક કરો.
ફોટા ઉપર ક્લિક કરતા તે નવા બ્રાઉઝરમાં ખુલશે. ત્યાં ફરીથી ક્લિક કરતા તે મોટો થશે.























૨) આદ્યસ્થાપકોને અર્પણ કરાયેલ અભિવાદન પત્ર વાંચવા નિચેના ફોટા ઉપર ક્લિક કરો.
ફોટા ઉપર ક્લિક કરતા તે નવા બ્રાઉઝરમાં ખુલશે. ત્યાં ફરીથી ક્લિક કરતા તે મોટો થશે.























૩) યુવક મંડળના Auditors ને અપાયેલ અભિવાદન પત્ર વાંચવા નિચેના ફોટા ઉપર ક્લિક કરો.
ફોટા ઉપર ક્લિક કરતા તે નવા બ્રાઉઝરમાં ખુલશે. ત્યાં ફરીથી ક્લિક કરતા તે મોટો થશે.























૪) યુવકમંડળના માજી કાર્યકરોને અપાયેલ અભિવાદન પત્ર વાંચવા નિચેના ફોટા ઉપર ક્લિક કરો.
ફોટા ઉપર ક્લિક કરતા તે નવા બ્રાઉઝરમાં ખુલશે. ત્યાં ફરીથી ક્લિક કરતા તે મોટો થશે.























૫) યુવકમંડળમાં હજુ પણ કાર્યરત હોય તેવા કાર્યકરોને અપાયેલ અભિવાદન પત્ર વાંચવા નિચેના ફોટા ઉપર ક્લિક કરો.
ફોટા ઉપર ક્લિક કરતા તે નવા બ્રાઉઝરમાં ખુલશે. ત્યાં ફરીથી ક્લિક કરતા તે મોટો થશે.























૬) કાર્યકરોને અપાયેલ સ્મૃતિચિન્હ જોવા નિચેના ફોટા ઉપર ક્લિક કરો.
ફોટા ઉપર ક્લિક કરતા તે નવા બ્રાઉઝરમાં ખુલશે. ત્યાં ફરીથી ક્લિક કરતા તે મોટો થશે.























**આ બધા ફોટાઓ પુરા પાડવા માટે અમો દિનેશ શાહ (ડિકે) ના આભારી છીયે.
કાર્યક્રમ દરમ્યાન શ્રી વી. વી. શાહે સુવર્ણ વર્ષ જયંતિની ઉજવણી પ્રસંગે સરાહનીય કાર્ય કરનાર સભ્યોનું સાલ અને હારથી બહુમાન કર્યું. કાર્યક્રમ લગભગ ૧ વાગ્યે પુરો થઇ ગયો. કોઇ પણ જાતના ગોટાળા કે ઉતાવળ વગર. તે માટે આ પ્રોગ્રામના આયોજકોને ધન્યવાદ દેવા ઘટે. ત્યારબાદ રસ-પુરી અને ઢોકળાનું જમણ જમી બધા જુદા પડ્યા.
આ કાર્યક્રમ દરમ્યાન આપણા સમાજના સખી દાતાઓ સખાવત કરવાનું વિસર્યા નહિ. તેની યાદી બીજા કોઇ દિવસે આપીશું.