Pages

Tuesday, March 6, 2012

સમાજે કરેલા બંધારણીય ફેરફારો

શ્રી મ. વિ. જૈન સમાજ, મુમ્બઇની સામાન્ય સભા રવિવાર તા. ૫-૦૩-૨૦૧૨ ના રોજ ૨૦૧૦-૧૧નો હિસાબ પાસ કરવા,૨૦૧૨-૨૦૧૩ના વર્ષનું ખર્ચ-બજેટ અને ૨૦૧૧ દરમિયાન થયેલ ખર્ચને મંજુર કરવા માટે બોલાવવામાં આવી હતી 

આ સભામાં બંધારણ કમિટી દ્વારા સુચવવામાં આવેલ બંધારણીય ફેરફારોને થોડા સુધારા વધારા સાથે મંજુર કરવામાં આવ્યા.

બંધારણીય ફેરફારોમાં અગત્યના ફેફારો નીચે મુજબ છે.
૧) પેટ્રન સભ્યોજે રુપિયા ૨૫૦ ભરીને આપ મેળે બનતા હતા તેને બદલે કારોબારિ સમિતી નક્કી કરે તેઓને જ સભ્ય બનાવી શકાશે.
૨) પેટ્રન સભ્ય બનવા માટે હવે રુપિયા ૧૦૦૦ ભરવા પડશે.
૩) આજીવન સભ્ય હવે રુપિયા ૨૫૦મા બનશે જે પહેલા રુપિયા ૧૦૧મા બનતા હતા.
૪) કાયમી સભ્યનો વર્ગ કાઢી નાખવામાં આવેલ છે.
૫) સાધારણ સભ્ય હવે રુપિયા ૫૦માં બનાવવામાં આવશે જે પહેલા રુપિયા ૨ કે અમુક સંજોગોમાં ૦.૫૦ માં પણ બનતા હતા.
૬) પ્રમુખ અને ઉપપ્રમુખ હવે ચૂંટાયેલ કારોબારી સભ્યો જ ચૂંટશે.(અત્યાર સુધી  પ્રમુખ અને ઉપપ્રમુખ સમાજ મત આપી ચૂંટતો હતો)
૭) જેટલી બેઠકો માટે ચૂંટણી યોજાઇ હશે તેટલા મત દરેક મતદાતા એ ફરજીયાત આપવા પડશે. (અમુક જ ઉમેદવારો ને મત આપવાથી મત રદ કરવામાં આવશે)

સભ્ય પદ માટેની નવી ફી તા. ૦૧-૦૭-૨૦૧૨ થી લાગુ પડશે.

સમાજને ૮૦જી પ્રમાણ પત્ર મળવામાં છે જેથી દાતા દાનની ૫૦% રકમ તેમની કર પાત્ર આવકમાંથી બાદ મેળવી શકશે.

હ્રદય વિકારની સારવાર માટે માતુશ્રી તારાબેન ત્ર્યંબકલાલ ઉમેદચંદ મેહતા પરિવાર તરફથી મળેલ કાયમી ફંડમાંથી શરૂ કરવામાં આવશે.

No comments:

Post a Comment