જિંદગી વિશેનો એક વિચાર આપણા શ્રી ડીકે એટલે કે દિનેશ શાહે મોકલાવેલ છે તે અત્રે પ્રસ્તુત છે.
જિંદગી મળવી એ નસીબની વાત છે,
મૃત્યુ મળવું એ સમયની વાત છે,
પણ મૃત્યુ પછી પણ કોઈના હૃદયમાં જીવતા રહેવું,
એ જિંદગીમાં કરેલા કર્મની વાત છે…
પોતાનાં વગર દુનિયા અટકી પડશે એવું માનનારાઓથી કબરો ભરેલી છે.
કોણ કહે છે ભગવાનના ઘરે અંધેર છે,
સુખ અને દુખ તો છે ઈશ્વરની પ્રસાદી,
બાકી તો માનવીની સમજ સમજમાં ફેર છે..
નાનપણ હતું ત્યારે જલ્દી યુવાન થવા માંગતા હતા,
પણ હવે સમજાયું કે,
અધૂરા સપના, અધુરી લાગણીઓ અને તુટેલાં સંબંધ કરતા
અધૂરું હોમવર્ક અને તૂટેલા રમકડાં વધુ સારા હતા !!
નોંધ : તમો જે કોઇ સારી વસ્તુ વાંચો, મેળવો અને અમોને મોકલો તેના કર્તા આપ ન હો તો અવશ્ય લેખ, કાવ્ય કે અન્ય લખાણના કર્તાનું નામ લખશો. તેઓના નામનો ઉલ્લેખ એ આપણી ફરજ જ નહી પણ લેખક તરફનો વિવેક પણ છે. આ બાબત એક લેખકનો ઇ-મેલ પણ અમોને મળેલ છે તેની નોંધ લેવા મહેરબાની.
Funeral/ Death
-
મોરબી નિવાસી હાલ અંધેરી
દુર્લભજી કાશીદાસ મેહતાના સુપુત્ર
*અનંતભાઇ ( ઉ. વ. ૮૧ )*
તે સ્વ.મગનભાઇ, સ્વ.જિનેન્દ્રભાઈ, શ્રી ધીરજલાલભાઈ તથા સ્વ.ધનકુંવરબેન ...
2 days ago
No comments:
Post a Comment