Pages

Sunday, June 3, 2012

દાનનો મહિમા


૦  ‘ દાન ‘ શબ્દ  સંસ્કૃતની  ‘ દા ‘ ધાતુ  ઉપરથી  બન્યો  છે . ‘દા ‘ એટલે  ‘ આપવું ‘
૦   આ  અર્થમાં  ‘ દાન ‘ એટલે  કોઈને  કશું  આપવાની  ક્રિયા .પણ ‘દાન ‘ નો  અર્થ  આટલો  સંકુચિત  નથી
૦   શંકરાચાર્ય  ‘દાન ‘ નો  અર્થ  આમ  કરે  છે : ” ‘દાન ‘ એટલે  ‘સંવિભાગ ‘. એમના  મતે સંવિભાગ એટલે  સમૃદ્ધિની , વસ્તુની  વહેંચણી . પણ  કેવી  વહેચણી ? ‘સમ ‘ એટલે સમ્યક , ઉચિત  વહેંચણી
૦   વ્યક્તિ  પોતાની  પાસે  જે  હોય  તેમાંથી  જેને  જરૂર  છે  એવી  વ્યક્તિને કંઈક  આપે .એ રીતે  સમાજની  આર્થિક  અવ્યવસ્થાને  કંઈક  અંશે સમતોલ  બનાવવાનો  પ્રયત્ન  કરે
૦  પ્રત્યેક વ્યક્તિને  પરમ  કૃપાળુ  પરમાત્મા  તરફથી  દાન  રૂપે  દૈવી  સંપત્તિ પ્રાપ્ત  થયેલી  છે
૦  આ સંસારમાં  જન્મેલી દરેક  વ્યક્તિને શારીરિક  સંપત્તિ  રૂપે  પરમાત્મા  તરફથી અનેક  દિવ્ય  શક્તિ   મળી  હોય  છે  એટલે  કે  પહેલું  દાન તો  પરમાત્મા  તરફથી  જ  માણસને  મળે છે
૦    જે  શક્તિ  કે  વસ્તુ  પરમાત્મા  તરફથી  વ્યક્તિને  દાન  રૂપે  પ્રાપ્ત  થઇ  તેનો  તે  માલિક  નથી …ખરેખર  તો પરમાત્માએ  વિશ્વાસ  મુકીને  સોંપેલી  વસ્તુનો  તે  ટ્રસ્ટી  છે
૦   ટ્રસ્ટી પોતાની  મહેનત  પ્રમાણે  મળેલી  વસ્તુમાંથી  થોડું  કમિશન મેળવવાનો  હકદાર  ખરો પણ  ઈશ્વરે  આપેલી  બધી  જ  વસ્તુઓને  બથાવી  પાડી એકલા  જ  ભોગવવાનો  હક્કદાર  નથી  જો  એ  એવું  કરે  તો  ઈશ્વરે  મૂકેલા  વિશ્વાસનો  તે  ભંગ  કરે  છે
૦  વ્યક્તિએ  સારા  ટ્રસ્ટી  સિદ્ધ  થવું  હોય  તો  પોતાને  મળેલી  વસ્તુઓમાંથી  જરૂરિયાતમંદ  લોકોને  સમુચિત  રીતે  આપતાં  રહેવું  જોઈએ . એમાં કૃતજ્ઞતાનો  ભાવ  રહેલો  છે
૦  બીજાને  પોતાની સંપત્તિ  કે શક્તિના  નાનકડા  ભાગીદાર  બનાવવાની  આ  ભાવના  એ
‘ દાન ‘ નો  બીજો એક  અર્થ છે
૦   દાન  એટલે  ‘આપવું ‘…. આપણે  કોઈને  ‘આપીએ ‘ એટલે  આપનાર  તરીકે  આપણામાં અહંકાર  જાગે , પણ  હકીકતે  જયારે  આપણને  પરમાત્માએ  આપ્યું  ત્યારે  આપણે  કોઈને આપી  શક્યા  એટલેકે  પરમાત્માએ  આપણને  માગ્યા  વગર  આપ્યું  છે  તેમાંથી  જ  આપણે  તો  થોડુક  જ  અન્યને  આપીએ  છીએ  એટલે  એનું  અભિમાન  ન  કરાય
૦  દાનની  આ  વાતમાં  તો . પહેલાં  કંઈ  લઈને  પછી  આપીએ  છીએ  એટલે કે  આપણે  પહેલાં ઋણી – કરજદાર તો પરમાત્માના  થઇ  જ  ચૂક્યા  છે  અને  પછી  જે  ઋણ  પરમાત્માએ  આપણી ઉપર  ચડાવ્યું  છે  એમાંથી  થોડું  કરજ  ચૂકવવાનું  છે
ટૂકમાં…….
આ દુનિયામાં જન્મેલા  ને  જીવેલા  કોઈ  માણસે  હજી  સુધી  દાનની  પહેલ  કરી  નથી  તેણે પહેલાં  દાન  લીધું  છે  અને  પછી  દાન  આપવાનો  વિચાર  કર્યો  છે .
૦  પરમાત્માએ  આપણને  આપ્યું …ખૂબ  ખૂબ  આપ્યું .. અને  હવે  તેની  અપેક્ષા  હોય  કે લેનારો પણ  મન  મોટું  રાખીને  જરૂરિયાતવાળાને  આપે
૦   લેવાની  બાબતમાં વિશાળ મન  ધરાવતો  માનવી  જયારે  આપવાની  વાત  આવે  ત્યારે  મનનો  ટુંકો થઇ  જાય  છે …તેણે તો  એમ જ  છે કે જે ઈશ્વરે  આપ્યું  એ  બધું  જ પોતાની  પાસે  રહે … પોતે  એકલો  જ  એને ખૂબ ખૂબ ભોગવે …બીજો દુ:ખી  હોય  એમાં એનો  શો  વાંક?  પોતાનો  શો  વાંક  ગુનો  કે  એકલા  પોતાના ઉપર જ  આપવાની  ફરજ  આવી  પડે ?
૦  અંતમાં …….
દાનનો  મહિમા  વર્ણવવામાં ભાષાની  સંપૂર્ણ  સમૃદ્ધિ  ઓછી  પડે ….સમાજરૂપી  પુરુષના  શરીરમાં  સ્વાભાવિક  રૂપે કે કેટલાક  સભ્યોના હઠીલા  , સ્વાર્થી  વલણને  કારણે જે  વિકૃતિઓ  દાખલ  થાય  છે  તેને  માટે  દાનની  ચિકિત્સા  કાયમી  ધોરણે  ચાલતી  રહેવી  જોઈએ , રોજ કસરત  કરો તો  માંદગી  નજીક  ના  આવે  એમ નિરંતર  જાગૃત  રહી  સમાજનો  એક એક  સભ્ય  દાનનો  પોતાનો  ફાળો  આપતો  રહે  તો  સમાજ  હંમેશા  તાજો . તંદુરસ્ત , શક્તિશાળી  ને વિકાસશીલ  રહે
૦ દાન  એ ઔષધ  નથી  પણ  રસાયણ  છે  જેના  સેવનથી  સમાજ  તંદુરસ્ત , સશક્ત  ને યુવાન  રહે છે
-
સૌજન્ય :'વિતક શાં ખોલવાં અમથાં'

No comments:

Post a Comment