Pages

Sunday, July 31, 2011

શ્રી ઘાટકોપર મચ્છુકાંઠા જૈન મિત્ર મંડળ દ્વારા આયોજીત તબિબી નિદાનો

સમગ્ર સમાજની બહેનોના લાભાર્થે શ્રી ઘાટકોપર મચ્છુકાંઠા જૈન મિત્ર મંડળ ગર્ભાશય અને સ્તન કેન્સર નિદાન  માટે તા. ૩૦-૦૯-૨૦૧૧ સુધી કેમ્પ ચલાવી રહ્યું છે. જરૂરત પડતા બ્રેસ્ટ મેમોગ્રાફી અને પેપ સ્મિયર ટેસ્ટ પણ કરાવી આપવામાં આવશે. મંડળ દ્વારા ચાલતી અન્ય તબિબી સહાય યોજના હેઠળ મોતિયાના ઓપરેશન, બોડી ચેક અપ, રૂટીન બ્લડ સુગર, દંત ચિકીત્સા,સોનો ગ્રાફી, સી. ટી. સ્કેન, X-ray, M.R.I.,થાયરોઇડ, ફુલ એબડોમેન, હ્રદય પરિક્ષણ રાહતના દરે કરી આપવામાં આવે છે.

સમગ્ર સમાજના ભાઇ-બહેનો માટે રાહતના દરે (રૂ. ૨૫૦૦ માં) એન્જીયોગ્રાફી કરાવી આપવાનું આયોજન પણ ઘાટકોપર મંડળ પડધરી નિવાસી (હાલ મોમ્બાસા) શ્રી રમણિકભાઇ રવજીભાઇ પટેલ પરિવારના સહયોગથી કરી રહ્યું છે.

શ્રી ઘાટકોપર મચ્છુકાંઠા જૈન મિત્ર મંડળના સભ્યો માટે તા. ૧૬-૧૧-૨૦૧૧ થી ૨૧-૧૧-૨૦૧૧ સુધીનો ગિરનારજીનો યાત્રા પ્રવાસ પણ યોજાઇ રહ્યો છે.

વધુ વિગત માટે સરક્યુલર અત્રે વાંચો.