Pages

Sunday, October 25, 2009

ઈસ્પિતાલની અંદર બહાર

ઈસ્પિતાલમાં

તારાબેન ત્રંબકલાલ મેહતાનું ગોઠણનું ઓપરેશન હિંદુજા ઈસ્પિતાલ ખાતે હાલમાં કરવામા આવ્યુ હતું. તેઓ હજુ દાકતરી નિગેહબાની હેઠળ છે.

અનંતરાય હિમતલાલ વોરા હિન્દુજા ઈસ્પિતાલમાં કીડનીની બિમારીની સારવાર માટે દાખલ થયેલ છે.

ઈસ્પિતાલમાંથી ડિસ્ચાર્જ

વિનયચંદ્ન છગનલાલ સંઘવી પથરીનું ઓપરેશન કરાવી ઘરે પાછા આવી ગયા છે.

ભૂપતભાઈ રતિલાલ મેહતા પણ હિન્દુજા ઈસ્પિતાલમાં દાખલ થયેલ હતા અને તેઓ પણ ઘરે પાછા આવી ગયા છે.

ચંદ્નકલાબેન મહાસુખભાઈ મેહતાનું આંખનું ઓપરેશન થયેલ હતું પરંતુ તેમાં ખામી રહેતા તેમનું ઓપરેશન પાછું કરવું પડ્યું હતું. તે પતાવીને તેઓ પણ ઘરે આવી ગયા છે.

અમે આ સર્વે સભ્યોની સુખાકારી ઇચ્છતા તેમની સુદ્દઠ તન્દુરસ્તીની પ્રભુ પાસે પ્રાર્થના કરીયે છીયે.

Saturday, October 24, 2009

ચા-દાળ અને સાસુનુ કોમ્બિનેશન (દિનેશ શાહ)

વાંચવા માટે ચિત્ર ઉપર ગમે ત્યાં ક્લિક કરો.
ચિત્ર નાનું-મોટું કરવા Ctrl + અથવા Ctrl- નો ઉપયોગ કરો.

Thursday, October 22, 2009

મૃત્યુ


વતન : વાંકાનેર
હાલ : ઈન્દોર
મરનારનુ નામ : અનસુયાબેન ચંદ્રકાન્ત સંઘવી
ઉમર : ૬૮ વર્ષ
મરણ તારીખ : ૧૬-૧૦-૨૦૦૯
પતિ : ચંદ્રકાન્ત વસરામભાઇ સંઘવી
પુત્ર : રશ્મિ
પુત્રીઓ : આરતી, જાગૃતિ
જમાઇઓ : અશ્વિન જસાણી,જીતેન્દ્ન લાખાણી
સસરા : સ્વ. વસરામભાઇ ભવાનભાઇ
દિયરો : સ્વ. પ્રવિણભાઇ,કિશોરભાઈ,સ્વ. કાન્તિભાઇ,નરેન્દ્નભાઇ
પિતા : સ્વ.કરસનભાઇ હરજીવન ઘીવાળા

પ્રભુ દિવ્યાત્માને પરમ શાંતિ આપે

મૃત્યુ


વતન : ઘાંટીલા
હાલ : મુમ્બઈ
મરનારનુ નામ : મહેન્દ્ર મુગટલાલ લોદરીયા
ઉમર : ૫૯ વર્ષ
મરણ તારીખ : ૧૭-૧૦-૨૦૦૯
પત્નિ : ઉલ્કાબેન
પુત્રો : જિગર
પુત્રી : ભાવિની
પુત્રવધૂ : શિખા
પિતા : સ્વ.મુગટલાલ નંદલાલ લોદરિયા
માતા : ગં. સ્વ. લલિતાબેન
ભાઇઓ : દિનેશ, નીતિન,જયેશ
બહેનો : સ્વ. કુસુમબેન શાહ,ગં.સ્વ.મન્જુલાબેન વસા,હસુમતિ શેઠ,કોકિલા વારિયા
સસરા : સ્વ. રમણલાલ ભોગીલાલ શાહ

પ્રભુ દિવ્યાત્માને પરમ શાંતિ આપે

Wednesday, October 21, 2009

મૃત્યુ -૧૦૪ વર્ષે


વતન : વાંકાનેર
હાલ : દાદર-મુમ્બઈ
મરનારનુ નામ : ગં.સ્વ. કાશીબેન રતીલાલ મેહતા
ઉમર : ૧૦૪ વર્ષ
મરણ તારીખ : ૧૬-૧૦-૨૦૦૯
પતિ : સ્વ. રતિલાલ મોહનલાલ મેહતા
પુત્રો : સ્વ.કાન્તિલાલ, સ્વ.નટવરલાલ,પૂ. ચિરંતનવિજયજી મ. સા.(સંસારી નામ: ચંદ્રકાન્તભાઇ) ,ભૂપતભાઇ, જયસુખભાઇ
પુત્રવધૂઓ : ગં. સ્વ. મયાબેન,સ્વ. ધનકુંવરબેન,મિનાબેન,ચંદનબેન
પુત્રી : અનસુયાબેન
જમાઇ : ભોગીલાલ દોશી
પૌત્રો : જયેશ,અજિત,યોગેશ,નિમેશ,અનિષ,પરેશ
પૌત્રવધૂઓ : માયા,દક્ષા,અસ્મિતા,ફાલ્ગુનિ,હિના,પ્રિતિ
પૌત્રીઓ : સુધા,ગીતા,શીલા
પ્રપૌત્રો : જિમિત,અભિષેક,અર્પિત,સૌમિલ,મિલન,પાર્થ અને ચિરાગ
પ્રપૌત્રીઓ : ચિત્રાંગી,હીનલ,હિમાની,નિશા
દોહિત્રિ : હિના, ધરીત્રિ
પ્રપૌત્ર વધૂ : દિપાલી
પિતા : સ્વ.નિમચંદ મેહતા
ભાઈ : રવિચંદ નિમચંદ મેહતા


પ્રભુ દિવ્યાત્માને પરમ શાંતિ આપે

Monday, October 19, 2009

નૂતન વર્ષાભિનંદન.


આવનારુ સવંત ૨૦૬૬ નુ નૂતન વર્ષ આપને તથા આપના સર્વે કુટુમ્બીજનો ને ધન-ધાન્ય તેમજ સ્વાસ્થ્ય ની દ્રષ્ટિ એ લાભપ્રદ રહે તેવી શુભકામનાઓ સાથે શુભદિપાવલી અને નૂતન વર્ષાભિનંદન. આ પ્રસંગે “અંકિત ત્રિવેદી” ની આ સુંદર રચના

મારાં સપનાં તારી આંખે સાચ્ચાં પડતાં જાય
એને નવું વર્ષ કહેવાય….

હું કંઈ પણ ના બોલું તો પણ તરત તને સમજાય
એને નવું વર્ષ કહેવાય….

ખુલ્લી સવાર જેવું જીવશું કાયમ મસ્ત મજાનું ,
પકડાઈ જવાની મજા પડે ને એવું કાઢશું બહાનું
લાભ , શુભ ને ચોઘડિયાં પણ અંદરથી શરમાય
એને નવું વર્ષ કહેવાય….

જીવન એવું જીવશું જાણે સહજ અવતરે પ્રાસ ,
વહાલ નીતરતાં શ્વાસમાં ઘૂંટશું ઇશ્વરનો અહેસાસ
ટૂંકમાં , તારી સાથે દિવસો ઉત્સવ થઈ ઉજવાય
એને નવું વર્ષ કહેવાય….

– અંકિત ત્રિવેદી

સાલ મુબારક

Saturday, October 17, 2009

મૃત્યુ


મહેન્દ્નભાઈ મુગટલાલ લોદરીયા (ઉમર વર્ષ ૬૦) નું અવસાન તા. ૧૭-૧૦-૨૦૦૯ના રોજ હ્નદય રોગની બિમારીથી થયુ છે. સ્મશાનયાત્રા તેમના ઘરેથી બપોરના ૨:૦૦ કલાકે નિકળશે.અગ્નિસંસ્કાર પાર્લા સ્મશાને થશે.

પ્રભુ સદ્ ગતના આત્માને ચિર શાંન્તિ આપે.

દિવાળી પર્વ



દિવાળી- જૈનોની દ્નષ્ટિએ

મહાવીરે પાવા ખાતે નિર્વાણ મેળવ્યુ હતું.

બુદ્ધના નિર્વાણની તારીખ બુદ્ધ પૂર્ણિમા અને ખ્રિસ્તિઓ માટે ક્રિસમસનું જેટલું મહત્વ છે તેટલું જ મહત્વ જૈન ધર્મમાં દિવાળીનું છે.છેલ્લા જૈન તિર્થંકર ભગવાન મહાવીરે આ દિવસે કારતક મહિનાની ચૌદસે ઈસ. પૂર્વે 527ની 15 ઓક્ટોબરે પાવાપુરી ખાતે નિર્વાણ અથવા મોક્ષ મેળવ્યો હતો, છઠ્ઠી સદીના રાજ્યો યતિવર્શબાના તિલ્યાપન્નતિમાંથી

ભગવાન મહાવીરે સ્થાપેલા ધર્મનું પાલન જૈનો આજે પણ કરે છે. પરંપરા મુજબ મહાવીરના મુખ્ય શિષ્ય ગાંધાર ગૌતમ સ્વામીએ પણ સંપૂર્ણ જ્ઞાન (કેવલજ્ઞાન) આ દિવસે મેળવ્યુ હતું, આમ આ કારણોથી દિવાળી જૈનોનો સૌથી વધુ મહત્વના તહેવારોમાંનો એક છે.

મહાવીરે અમાસની (નવો ચંદ્ર) વહેલી પરોઢે નિર્વાણ મેળવ્યું હતું. ઈસ. પૂર્વે ત્રીજી સદીમાં આચાર્ય ભદ્રબાહુ રચિત કલ્પસૂત્ર અનુસાર ઘણા દેવતાઓ ત્યાં ઉપસ્થિત હતા અને અંધકારને પ્રકાશથી અજવાળતા હતાત્યાર બાદની રાત કાળી અંધારી હતી અને તેમના ગુરુની જ્ઞાનની જ્યોતને જીવંત રાખવાના પ્રતિક તરીકે તેમાં દેવતાનો કે ચંદ્રનો પ્રકાશ નહોતો:

કાશી અને કોસલના 16 ગણ-રાજા, 9 મલ્લ અને 9 લિચ્છવીઓએ તેમના દરવાજા પ્રકાશિત કર્યા હતા. તેઓએ કહ્યું: "જ્ઞાનનો પ્રકાશ જતો રહ્યો હોવાથી આપણે સામાન્ય વસ્તુઓથી અજવાળું કરીશું" ("गये से भवुज्जोये, दव्वुज्जोयं करिस्समो").

દિપાવલીનો સૌ પ્રથમ ઉલ્લેખ જૈન પુસ્તકોમાં આવે છે અને આ તારીખને મહાવીરના નિર્વાણનો દિવસ કહેવામાં આવી છે. હકીકતમાં દિવાળીનો સૌથી પ્રાચીન સંદર્ભ દિપાલિકાયા શબ્દ સાથે સંકળાયેલો છે, આ શબ્દ આચાર્ય જિનસેન લિખિત હરિવંશ-પુરાણમાં જોવા મળે છે[૮]

ततस्तुः लोकः प्रतिवर्षमादरत् प्रसिद्धदीपलिकयात्र भारते |
समुद्यतः पूजयितुं जिनेश्वरं जिनेन्द्र-निर्वाण विभूति-भक्तिभाक् |२० |
તતસ્તુઃ લોકઃ પ્રતિવર્ષમારત એકો
પ્રસિદ્ધદીપલિકયાત્ર ભારતે
સમુદ્યતઃ પૂજયિતું જિનેશ્વરં
જિનેન્દ્ર-નિર્વાણ વિભૂતિ-ભક્તિભાક

અનુવાદ: આ પ્રસંગના માનમાં દેવતાઓએ પાવાપુરીને દીવડાઓના પ્રકાશથી ઝગમગાવી હતી. કારણ કે તે સમયે ભારતના લોકો ભગવાન જિનેન્દ્ર (એટલે કે ભગવાન મહાવીર)ના નિર્વાણ પ્રસંગે તેમની ભક્તિ માટે પ્રખ્યાત તહેવાર "દિપાલિકા"ની ઉજવણી કરી રહ્યા હતા.

દિપાલિકાયાનો અર્થ "શરીરને છોડીને જતો પ્રકાશ" પણ કરી શકાય. દિપાલિકા શબ્દ કે જેનો અર્થ થાય છે "દીવાઓનો દિવ્ય પ્રકાશ", "દિવાળી" શબ્દના પર્યાય તરીકે તે શબ્દનો ઉપયોગ થાય છે.

જૈનો દ્વારા દિવાળીની ઉજવણી ઘણી રીતે અલગ પડે છે. જૈનો જે કંઈ પણ કરે છે તે તમામ પ્રવૃત્તિઓમાં સંયમવૃત્તિ પર ભાર મૂકવામાં આવે છે અને દિવાળીની ઉજવણી પણ આમાંથી બાકાત નથી. કારતક મહિના દરમિયાન ત્રણ દિવસ માટે જૈનો દિવાળી ઉજવે છે.આ સમય દરમિયાન શ્વેતાંબર જૈનો ઉપવાસ કરે છે અને ઉત્તરઅધ્યયન સૂત્રનો પાઠ કરે છે અને તેની આખરમાં ભગવાન મહાવીરના પ્રવચન તથા તેના પર મનનનો સમાવેશ થાય છે. કેટલાક જૈનો બિહારમાં આવેલ તેમના નિર્વાણસ્થળ પાવાપુરીની મુલાકાત લે છે. ઘણાં મંદિરોમાં આ દિવસે વિશેષ રીતે લાડુ ધરાવાય છે.

વીર નિર્વાણ સંવત : દિવાળી બાદ પ્રતિપદથી જૈન વર્ષની શરૂઆત થાય છે. વીર નિર્વાણ સંવત ૨૫૩૬ દિવાળી ૨૦૦૯ ની સાથે શરૂ થાય છે. જૈન વેપારીઓ પરંપરાગત રીતે તેમનું હિસાબોનું વર્ષ દિવાળીથી શરૂ કરે છે.આચાર્ય વિરસેન દ્વારા તિથ્થોગલિ પૈનિયા અને ધવલમાં વીર અને શક સંવત વચ્ચેનો સંબંધ આપવામાં આવ્યો છે:
पंच य मासा पंच य वास छच्चेव होन्ति वाससया|
परिणिव्वुअस्स अरिहितो तो उप्पन्नो सगो राया||

આમ શક સંવતના 605 વર્ષ અને 5 મહિના અગાઉ નિર્વાણ થયુ હતું.

જૈનો દ્વારા સમગ્ર ભારતમાં 21 ઓક્ટોબર 1974ના રોજ 2500મો નિર્વાણ મહોત્સવ ઉજવાયો હતો.

(સાભાર : વિકીપીડિયા)

Friday, October 16, 2009

મૃત્યુ

અનુપમ, નિરુપમ અને જયભારત ટેક્ષ્ટોરીયમવાળા ભૂપતભાઈ અને જયસુખભાઈના માતુશ્રી કાશીબેન ૧૦૪ વર્ષની જૈફ ઉંમરે તા.૧૬-૧૦-૨૦૦૯ના રોજ અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા બપોરે ૧૨:૧૫ કલાકે નિકળશે અને અગ્નિસંસ્કાર શિવાજીપાર્ક સ્મશાન ખાતે કરવામાં આવશે.
પ્રભુ દિવ્યાત્માને પરમ શાંતિ આપે

માનો યા ન માનો (દિનેશ શાહ)

માનો યા ન માનો ચિત્ર ઉપર ગમે ત્યાં ક્લિક કરો
સાઇઝ માં ફેરફાર કરવા Ctrl+ અથવા Ctrl- નો ઊપયોગ કરો

Thursday, October 15, 2009

ધન તેરસ


ધન તેરસને દિવસે ઘર, દુકાન કે ઓફીસ વિગેરેને દીવાઓ વડે અને રોશની વડે શણગારી અને આગળ રંગોળી કરવામાં આવે છે. આસો માસની વદ તેરસ એટલેકે દિવાળીનાં બે દિવસ પહેલાં આવતાં આ દિવસે રંગોળીમાં લક્ષ્મીજીનાં પગલાંની આકૃતિ ખાસ કરવામાં આવે છે. આ દિવસે નવું ધન, ખાસ તો સોનું-ચાંદી ખરીદવું તે શુકનવંતુ ગણાય છે. લોકો આ દીવસે ધનની પૂજા પણ કરે છે. ધનતેરસના શુભદિને ધન-ધાન્ય સમૃદ્ધિના દેવ કુબેરની પૂજાનું પણ અનેરું મહત્ત્વ છે. લંકાના રાજા રાવણે પણ કુબેરની જ સાધના બાદ સુવર્ણ લંકા પ્રાપ્ત કરી હતી તેવો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. આ દિવસને સમુદ્ર મંથનનાં ફળ સ્વરૂપે ભગવાન ધન્વંતરિ ઉત્પન્ન થયાં હોવાથી તેને ધન્વંતરિ ત્રયોદશી કે ધન્વંતરિ જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે અને આરોગ્યનાં દેવતા તથા આયુર્વેદનાં પ્રણેતા ભગવાન ધન્વંતરિનું પૂજન કરવામાં આવે છે.

પૌરાણીક કથા

દીવો એ દિવાળીના પર્વ સાથે જોડાયેલ છે, પરંતુ એક ઓછી જાણીતી પૂરાણકથા પ્રમાણે દીવાની હારમાળા (દીપાવલી) સાથે જેને પ્રત્યક્ષ સંબંધ હોય તેવો તહેવાર માત્ર ધન તેરસ છે. સામાન્ય રીતે આપણે દીપ નો સંબંધ લક્ષ્મીજી સાથે ગણીએ છીએ, પરંતુ પૌરાણીક કથા પ્રમાણે યમરાજાએ એક વખત પોતાના દૂતને પુછ્યુંકે 'હું તને મનુષ્યોના પ્રાણ હરવા માટે અનંતકાળથી પૃથ્વીલોક ઉપર મોકલું છું તો તને ક્યારેય પ્રાણ હરતાં રંજ નથી થતો?' યમદુતે ઉતર આપ્યો કે 'એક વખત રંજ થયેલો જ્યારે એક યુવક કે જેના લગ્નના ચાર દિવસ પછીજ બરાબર ધન તેરસને દિવસે મારે તેના પ્રાણ હરણ કરવા પડેલ'. યમરાજે ત્યારે વરદાન આપેલ કે ધનતેરસને દીવસે જે મનુષ્ય દીપદાન કરશે (દીવડાઓ પ્રગટાવશે) તેનો જીવનદીપ એ દીવસે બુઝાશે નહીં. આમ આ દિવસે દીપમાલા પ્રગટાવનાર શ્રધ્ધાળુઓ માટે યમરાજાએ એક દીવસનું અમરત્વ પ્રદાન કરેલ છે.

ધન તેરસનું અન્ય એક મહત્વ પણ છે, કથા પ્રમાણે બલીરાજાનાં કારાગૃહમાં પુરાયેલ લક્ષ્મીજી તથા અન્ય દેવોને ભગવાન વિષ્ણુએ ધન તેરસને દિવસે મુક્ત કરાવ્યાં માટે આ દિવસ લક્ષ્મીપૂજનનો માનવામાં આવે છે. આમતો જો કે ધનનાં સ્વામી કુબેર છે (વેદગ્રંથો મુજબ લક્ષ્મી એટલે માત્ર શુકનવંતી અને મંગલકારી દૈવી સ્ત્રી).

(સાભાર વિકિપીડિયા)

Tuesday, October 13, 2009

મૃત્યુ

વતન : મોરબી
હાલ : કલકત્તા
મરનારનુ નામ : સરોજ જગજીવન દોશી
ઉમર : ૬૫ વર્ષ
મરણ તારીખ : ૧૧-૧૦-૨૦૦૯
પિતા : સ્વ.જગજીવન મોહનલાલ દોશી
માતા : સ્વ.કમળાબેન
ભાઈ : સ્વ.રજનીકાન્ત,સ્વ.હર્ષદભાઈ, સ્વ.અનિલભાઈ,તરુણભાઈ,સુરેશભાઈ
બહેન : ઈન્દિરાબેન જયસુખલાલ દોશી

પ્રભુ દિવ્યાત્માને પરમ શાંતિ આપે

૪૦૦૦ વર્ષ જૂનુ ઝાડ (દિનેશ શાહ દ્વારા)

માન્યામા ના આવે તેવુ
વાંચવા માટે ફોટા ઉપર ક્લિક કરો. સાઇજ઼ નાની મોટી કરવા ctrl + અથવા ctrl - નો ઉપયોગ કરો

Thursday, October 8, 2009

ભાવિની મહેન્દ્નભાઈ મુગટલાલ લોદરીયા (બાયો ડાટા)

ભાવિની મહેન્દ્નભાઈ મુગટલાલ લોદરીયાનો બાયો ડાટા વાચવા અત્રે ક્લીક કરો.




Tuesday, October 6, 2009

દુબાઈના ફોટા - દિનેશ શાહ દવારા

દિનેશ શાહ નિયમિત રીતે આપણા બ્લોગમા માહિતિપુ્ર્ણ લેખો કે ચિત્રો મોકલે છે. અત્રે તેઓએ દુબાઈના ફોટા રજુ
કરેલ છે. તે જોવા અત્રે ક્લિક કરો. ત્યાર બાદ સ્ટાર્ટ પ્રેશન્ટેશન નુ ટેબ દબાવો. આ અગાઉ ગુજરાતના ફોટા પણ તેમણે મોકલાવેલ હતા.

મૃત્યુ


વતન : વાંકાનેર
હાલ : વડોદરા
મરનાર નુ નામ : ચંદ્રકિશોર મોતીચંદ સપાણી
ઉમર : ૭૫ વર્ષ
મરણ તારીખ : ૦૧-૧૦-૨૦૦૯
પત્નિ : ઈંદિરાબેન
પુત્રો : મિલન, રૂપીન
પિતા : સ્વ.મોતીચંદ ડાહ્યાભાઈ સપાણી
સસરા : સ્વ. કેશવલાલ દેવચંદ મેહતા
ભાઈ : સ્વ. વાડીલાલ
બહેનો : સ્વ. કંચનબેન, સ્વ. તારામતીબેન અને અનસુયાબેન

પ્રભુ દિવ્યાત્માને પરમ શાંતિ આપે

Monday, October 5, 2009

નર્મદા નગર

નર્મદા નગર ઇંડસ્ટ્રિયલ ટાઉન વિથ ન્યૂ સિટી મોડેલ, પાલેજથી 15 કી. મી.
(ગુજરાત સરકાર ઇંડસ્ટ્રિયલ ટાઉન વિકસાવી રહી છે તેની પરીકલ્પના)

Sunday, October 4, 2009

મૃત્યુ


વતન : બેલા (મોરબી)
હાલ : દાદર, મુંબઇ
મરનાર નુ નામ : પ્રભુદાસ (બચુભાઇ) કાશીદાસ પારેખ
ઉમર : ૮૪ વર્ષ
મરણ તારીખ : ૩૦-0૯-૨૦૦૯
પત્નિ : સ્વ ચંદનબેન
પુત્ર : જયેશ
પુત્રવધૂ : શૈલા
પિતા : સ્વ.કાશીદાસ મુલજી પારેખ
સસરા : સ્વ. ચુનિલાલ વિઠ્ઠલજી મેહતા
ભાઈઓ : સ્વ. મનસુખભાઈ, સ્વ. ખુશાલભાઈ,સ્વ મગનભાઈ સ્વ અમૃતલાલ
બહેન : સ્વ. મંચ્છાબેન

પ્રભુ દિવ્યાત્માને પરમ શાંતિ આપે

વિદેશ વ્યાપાર કેન્દ્ર , અંકલેશ્વર



વિદેશ વ્યાપાર કેન્દ્ર , અંકલેશ્વર, ભરૂચથી ૧૭ કિ. મી. ની પરીકલ્પના

Saturday, October 3, 2009

મૃત્યુ

ચંદ્રકિશોર મોતીચંદ સપાણીનુ અવસાન તા ૦૧-૧૦-૨૦૦૯ ના રોજ વડોદરા ખાતે થયુ છે પ્રભુ તેમના આત્માને ચિર શાંતિ આપે

ગુજરાતનુ સિલિકોન સિટી

ગુજરાત નવા રૂપે આકાર લઈ રહયુ છે. આ સાથેનુ ચિત્ર ઝડેશ્વર ખાતે ઉભુ કરવામા આવી રહેલ સિલિકોન સિટીની પરીકલ્પના દર્શાવે છે.

Friday, October 2, 2009

આવતીકાલનુ ગુજરાત


ગુજરાત સરકારે ફિલ્મ નગરી બનાવવાંનુ વિચાર્યુ છે તેનુ કલ્પના ચિત્ર